વળી દેશ કાંઇ કોઇના બાપના નથી; એતો મહાજનો યેનગતઃ સ પંથાઃ જે એણે લેખ કરી આપ્યા છે તેમાં જોઇને તેપ્રમાણે વર્તવું ને તેથી અધિક સારું કરીને અરજીઓ પડે, તોવધુ વધે ને લાજ જાય ને ત્રીજાનું ફાવે. માટે ધર્મવેરો, નામવેરોલાવીને ભજન કરવું, પણ હજારો રૂપિયા ખરાબ ન મેળવવા.તે ‘કવલીને દોહીને કૂતરીને પાવું’ એમાં શું માલ છે ? નેએમ કરતાં જો રહેવાય નહિ તો પંચાતિયા કરવા, તે લેખજોઇને તે પ્રમાણે કરે. ત્યારે કોઇકે પૂછ્યું જે, ‘તે વધુ ઘટું કરેતો ?’ ત્યારે સ્વામી કહે,‘તેને પાપ લાગે. તે જો આની કોરવધુ કરે તોપણ પાપ લાગે, ને ઓલી કોર વધુ કરે તોય પણપાપ લાગે. તે કર્મવિપાક ગ્રંથમાં કહ્યું છે જે, ‘પંચ જો અવળીપંચાત કરે, તેને ક્ષય રોગ થાય; માટે એમ વિચારવું જે, કોઇકગામ આમ રહ્યું કે આમ ગયું તો શું ? ઝાઝા રૂપિયા હશે એકયાં રહે એવા છે ? તે કોઇ કયાંય ને કોઇ કયાંય એ તો જનારાજ, એ તો ચપળ માયા તે રહે જ નહિ. તે ઝાઝા ભેળા કર્યેસુખ રહે નહિ અને આ લોક કજિયારૂપ છે, તે થયા વગરરહે કેમ ? તે કોઇકને ઘરમાં બાપ-દીકરાને, મા-દીકરાને, સ્ત્રીપુરુષનેતેમ આપણે પણ વ્યવહાર છે તે થાય. ને વ્યવહારવાળાનેપણ જાણવું જે, સ્ત્રી સાથે વિવાદ ન કરવો, નીકર ઝેર દેશે;તેમ રાજા સાથે કે બીજા કોઇ સાથે પણ ન કરવો. તે શિક્ષાપત્રીમાંજો જો. ‘ન વિવાદ સ્ત્રિયા કાર્યઃ’ એ લખ્યું છે. માટે તે પણજાણ્યું જોઇએ, નીકર પછી દુઃખ આવે, માટે તેમ ન કરવું.”એ આદિક ઘણી વાતો ઓલીકોરના સાધુ આગળ કરી. ।।૮૦।।