વળી સંચિત , ક્રિયમાણ ને પ્રારબ્ધ તે પણ જાણવું, તેનિયમ ધર્યા તે દિવસથી સંચિત જે પૂર્વે કર્યા પાપ તે બળી જાય.ને ક્રિયમાણ કરવું નહિ, ને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં મુંઝાવુંનહિ; ને જો તે પ્રારબ્ધ ન ભોગવાવે તો દેહ છૂટી જાય. કેમજે, પ્રારબ્ધે કરીને તો દેહ બંધાણો છે માટે ભોગવવા. તે ‘શૂળીનુંકષ્ટ કાંટે ઉગારે .’પછી સાધુ સર્વે તથા હરિભકત સર્વેએકહ્યુંજે,‘ઓહો !બહુ વાતો થાય છે, આ પ્રમાણે રહે તો કાંઇ દુઃખ જ આવેનહિ.’ પછી સ્વામી કહે જે, ‘હું એકેય ધારતો નથી, આફૂરી(સહેજે) માંહેથી કહેવાય છે.’ ત્યારે સાધુ કહે,‘ભગવાન પ્રવેશકરીને બોલાવે છે.’ તો કહે, ‘હા, એમ જ.’ તે જુઓને, એમજ થાય છે, તેમાંથી મોટા હરિજનોને મોટા સાધુનો, આચાર્યનોને મહારાજનો પણ અવગુણ આવે. પછી તેમાંથી મોડો વહેલોમરવા ટાણા સુધીમાં પણ વિમુખ થઇ જાય, માટે એ ન જકરવું. ।।૮૧।।