બીજું એ જે, સારા સાથે જીવ બાંધવો. કેમ જે, કહેનારાકોઇ ન મળે ત્યારે એ કરવું ને સુખિયા રહેવું. ને પોતાની ખોટકહેવી, ને જે ન સૂઝતી હોય તે તેઓને કહેવું જે, ‘હુંમાં જેજે વાતની ખોટ હોય તે દયા કરીને તમે કહેશો ?’ એમ રોજકહેવું, કાં આઠ દિવસે, કાં મહિને તો જરૂર કહેવું. કાં જે, મહિનેતો જરૂર કોઇક ભેગો થઇ જાય. તે ઉપર નામાના વચનામૃતનું(પ્રથમ પ્ર.નું ૩૮મું) કહ્યું જે, “મહિને ન ચૂકવે તો ભેળું થઇજાય.” આમ ભગવાનને ગમે છે, તે ગમતું તમને કહ્યું. ।।૯૨।।