વળી મહારાજ કહેતા જે, ‘ઇન્દ્રે બ્રાહ્મણ માર્યો, તે વાંસે ચાર બ્રહ્મહત્યા વળગી.’ પછી નારદજીને પૂછ્યું, ત્યારે કહે‘તારા ભાઇ વામનજીને તું ભગવાન જાણીને ભજ તો છૂટશે.’પછી ભજયા એટલે છૂટી. એમ આ સ્થૂળ દેહનો તો નાશ થાયછે. પણ સૂક્ષ્મ ને કારણ એ બે તો બ્રહ્મહત્યા વળગી છે. તેસાધુને પૂછીને તથા આત્મવિચાર શીખીને મનન કરે તો નાશથઇ જાય છે; નીકર જયાં જાય ત્યાં ભેળી રહે છે. અને આમહારાજનો અવતાર તો મૂળ અજ્ઞાનનો નાશ કરીને બ્રહ્મરૂપકરવા થયો છે ને બીજે તો બધું ડોળી નાખ્યું છે. ।।૯૪।।