એકોતેર ચોકડી રાજ કરીને એક ઇન્દ્ર પડે. એવા ચૌદઇન્દ્ર પડે ત્યારે એક દિવસ વૈરાટ બ્રહ્માનો થયો. તેમાં ક્ષુદ્રવૈરાટ બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ ત્રણ નાશ થાય. તે બ્રહ્માંડ બ્રહ્માંડપ્રત્યે એક શ્રીકૃષ્ણનારાયણ, એક લક્ષ્મીનારાયણ, એક નરનારાયણને એક વાસુદેવનારાયણ એ છે. એવા અનંત કોટીબ્રહ્માંડ છે, એમ સમજવું.હવે એવા ત્રીસ દિવસનો મહિનો ને બાર મહિનાનું વર્ષ,એવાં સો વર્ષ વૈરાટ જીવે, ને પ્રધાનપુરુષને રુંવાડે રુંવાડેક્ષીરસાગર છે. એટલે સાડા ત્રણ કરોડ શેષશાયી થયા ! માટેએ સર્વેથી તો પ્રધાનપુરુષ મોટા થયા. ને તે પ્રધાનપુરુષના એકદિવસમાં વૈરાટ પડે, તેવા સો વર્ષ પ્રધાનપુરુષ જીવે, ને તે પાછોપ્રકૃતિપુરુષના એક દિવસમાં નાશ થાય. એવા સો વર્ષપ્રકૃતિપુરુષ જીવે છે. એમ ત્યાં સુધી કાળ પૂગે છે. ત્યારે બીજાશું કાળ થકી મુકાવે ? માટે તેને વિષે અરુચિ કરીને એકઅક્ષરધામના ધામી જે પુરુષોત્તમ ભગવાન મળ્યા છે, તેનુંમાહાત્મ્ય સમજીને, તેનો જ બ્રહ્મરૂપે કરીને આશરો કરવો નેત્યાં પૂગવાની રુચિ રાખવી ને એના સાધુને વિષે જીવ બાંધવો.જોને, બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તોડાવ્યો, ત્યારે એથીઅધિક તો સાધુમાં સામર્થ્ય છે. ત્યારે પુરુષોત્તમની તો વાત જશી ! આ સિદ્ધાતં વાર્તા કહી છે.તેજો નહિ સમજાય તો ખોટરહી જાશે, ને વાંસેથી પસ્તાવો થાશેને દહે રહેકે ન રહે તોપણકસર કાઢી નાખવી. ।।૯૫।।