અહો ! આ સાધુ સાથે સૌને હેત છે ને આપણને એનોજોગ છે ત્યાં ખોટ નથી ટળતી. ત્યારે પછી તો ખાવું, ખાટલોને ખાડો એ ત્રણ વાત થાશે. ને બીજી વાતો થાશે પણ આવીવાતો નહિ થાય; માટે પછી પસ્તાવો થાશે. ને સ્ત્રી, દ્રવ્યનોજોગ કરવો નહિ; કેમ જે, જોગ થયે ઠા રહેતો નથી. તે ઉપરગોર ને જજમાનની દીકરીની વાત કરી દેખાડી . ને ભટ્ટજીએઘોડી બેસવા આપી, તે બીજી વૃદ્ધ બાઇએ કહ્યું જે, ‘જુવાનનેદીધી પણ ઘરડીને કોણ દે ?’ પછી ભેળું ચાલવાના હરામનાસમ ખાધા. ।।૧૦૦।।