મયારામ ભટ્ટને હાટ માંડવું હતું. તેનું લેખું કરવા બેઠા,ત્યાં તો સવાર થઇ ગયું પછી તો જળ મૂકયું જે, હજી હાટમાંડ્યું નથી ત્યાં જ નિદ્રા ગઇ, તો માંડશું ત્યારે શું થાશે ?માટે એ તો દીર્ઘદર્શી એટલે વિચારીને એ માર્ગે ન જ ચાલ્યા.ને આપણે તો એકાંતમાં સ્ત્રી ભેળું રહેવું નહિ, ને એકલી સ્ત્રીહોય ત્યાં ઉઘરાણીએ ન જાવું ને ભારો ન ચડાવવો કેમ જે,એ સર્વેમાં કલંક લાગે છે ને કાળાખરિઓ આવે છે. તે ઉપરવચનામૃત જે, મુકતાનંદસ્વામી જેવો હોય ને તેને જોગ થાય,તો ઉતરતા જેવો રહે કે ન રહે, એમાં પણ સંશય છે. એ(અં.૩૩મું) વંચાવીને બોલ્યા જે, ત્યારે આપણો શો ભાર ?જેહિ મારુત ગિરિ મેરુ ઉડાઇ, કહો તુલ કહા લેખામાંઇ,હો મનહરનાં ત્રિય,બનમેં નહિ ચરનાં. એમ બોલ્યા. આ દેશકાળની વાત કરી તે વિચારીને પગભરજો. મોટા સાધુ હોય ત્યાં તો તે કહે પછી આ વિચારજો;નીકર ઠા નહિ રહે. ને અમારે તો છેલ્લી વારે હવે દિવાળીસુધી સાધુને રાખીને વાતો જ કહેવી છે; પછી દેહ રહો કે નરહો પણ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન આપીને સુખિયા કરવાછે. ત્યાગ કરે એ ત્યાગી કહેવાય ને જે જે પદાર્થ રાખે તે મોટાનાંછિદ્ર પણ ઉઘાડાં થયાં ને રૂપિયા નીકળ્યા. તે માટે ધર્મામૃત,શિક્ષાપત્રી ને નિષ્કામશુદ્ધિ એ ત્રણ ગ્રંથ પ્રમાણે રહેવું ને પાળવું.આ તો કોણ જાણે કેમ રહેવાણું છે ! તે તો સારો જોગ છેને વળી જે પદાર્થ જોઇએ તે પદાર્થ કોઠારેથી અપાવીએ છઈએતેણે કરીને રહે છે. માટે ત્યાગ પાળવો એ કાંઇ મીઠો નથી,કડવો છે. મહારાજ પાસે જાવું હોય તો વચનમાં રહેવું.તે એક સાધુએ સ્વપ્નનો ઉપવાસ ન કર્યો, ત્યારે મહારાજેઠોંટ મારીને કહ્યું જે, ‘આ કર્યું તે તો મારી જીભ ઉપર પગદીધો ને આ તો તું મારો છે તેથી તને આમ કહું છું પણ બીજાનેન કહું.’ પછી તાવ આવ્યો તે ત્રીસ ઉપવાસ થયા. અને એકજણે જાગરણ ન કર્યુ, ને વળતે દિવસે સાંજે વીંછીએ ફટકાવ્યો ,તે રાત આખી જાગવું પડ્યું, એમ વચનનું છે. ।।૧૦૧।।