સંકલ્પ થાય છે તે માંહી રાગ છે તે થાય છે; ને જોયાછે તે આગળ આવીને નડે છે; ને કલકત્તા નથી જોયું તો સ્વપ્નમાંપણ નથી આવતું, ઝેર ખાધાના કે અફીણ પીધાના સંકલ્પ થાયછે ? ભટ્ટજીને કહે, હવેલી બળ્યાના ને છોકરો મર્યાના સંકલ્પકયાં થાય છે ? માટે નિયમમાં રહીને ખાવું, જોવું ને મોટાસાધુને વિનય ને દડંવત કરીને કહેવું તો ધીરે ધીરે ટળશે. ।।૧૦૩।।