સંવત્ ૧૯૧૯ ના આસો વદી દશમે વાત કરી જે, સહુસાંભળો વાત કરું. રઘુવીરજી મહારાજે છાવણી કરી, એમ મેં તમને અઢી મહિના સુધી વાતો કરી, ને જે વરતાલ આવે છે,એને તો મારો સાડા ત્રણ મહિના જોગ થાય છે. માટે હમણાંપણ અતિશે વાતો કરી છે. તે કોઇ મંદિરમાં રાખીને વાતું નકરે, આ તો મેં કરી. મન શત્રુ છે, ઇન્દ્રિયો શત્રુ છે, ને દેહશત્રુ છે; જો ભગવાન ન ભજાય તો. તે માટે આ જે વાતોકરી તે અંતરમાં રાખજો ને તે પ્રમાણે રહેજો. જુઓને આવોજોગ કયાંથી થાય ? હવે જોગ નહિ રહે. સાધુ મળવા કઠણછે માટે જોગ કરી લેજો, એ સિદ્ધાંત છે. ।।૧૧૦।।