અને આચાર્ય આદિક ચારનો અવગુણ આવે એ મોટું પાપછે. બીજા તો અનેક સ્વભાવ હોય, પણ એ પાપનું મૂળ છે.તે પાપને વિષે પુણ્યની બુદ્ધિ થાય, ને સાધુને વિષે અસાધુની બુદ્ધિ થાય, પછી દ્રોહ થાય, પછી તેનો જીવ નાશ થાય, એવું એ છે. માટે વારંવાર કહેવાનું તાત્પર્ય શું છે ? તો એ કે વાત હૈયામાં રાખીને કોઇ દિવસ એ માર્ગે ચડવું નહિ. ને એની સેવા થાય તો કરવી નીકર હાથ જોડવા, પણ અવગુણ તો ન જ લેવો, એ અમારો સિદ્ધાંત હતો તે કહ્યો –
પીપા પાપ ન કીજિયે, તો ધર્મ કિયા સો વાર;
જો કિસિકા લિયા નહિ, તો દિયા વાર હજાર.
સાધુની, મંદિરની, આચાર્યની ને સત્સંગીની સેવા કરવી તો વૃદ્ધિ પમાય. ને દ્રોહ થાય તો જીવનો નાશ થાય. તે સેવા તે શું ? તો ભકત્યાનુવૃત્યા, અનુવૃત્તિ એ જ સેવા છે, માટે તે પ્રમાણે રહેવું. ।।૧૧૨।।