અને આજ્ઞા પળે એટલી વાસના બળે, ને આજ્ઞા ને ઉપાસના બે મુખ્ય જોઇએ, તે કૃપાનંદસ્વામીનો એમ ઠરાવ જે,કોશ ઊની કરીને ગળામાં ઘાલે, એ કેટલું દુઃખ થાય ! તો પણ આજ્ઞા ભંગ ન કરવી. ને છાનું ખાતા હશે, પદાર્થ રાખતા હશે, પથારી ઝાઝી કરતા હશે, તે ઓલ્યા સ્વામિનારાયણ નથી જાણતા ?
હરિ કે આગે કહા દુરાઇ , મન અપનેકી ઘાત;
હરિ તો સબ જાનત હે, રોમ રોમ કી બાત.
બધુંય જાણે છે, આ રાજ કાંઇ ભોળું નથી, તે લોપશે તેનું જાણજો જે મોત આડું આવશે. આપણે કાઇં છોકરો છે તે મરે? આ તો દેહ એ જ છોકરો છે ને ગૃહસ્થને છોકરો હોય. માટે દેહને તો એવો રોગ થાશે તે શિયાળિયાના ચૂસ્યામાં રસ હોય જ નહિ, લાકડી જેવાં કરશે. ફિકર રાખશો મા ને જો એમાં ફેર હોય તો આ ઠેકાણું સંભારજો.’ એમ જૂની ધર્મશાળામાં પોતાને આસને બેસીને કહ્યું. ।।૧૧૪।।