અને પંચવિષય સારુ તો ચાળા ચૂંથતા ફરે છે. માટે એમાં શું ? એ તો પશુને પણ છે. માનનું ડીંડું થઇને ફેરા ખાય છે,તે હવે તો પારખાં જોવા પંચવિષય વચ્ચે નાખ્યા છે, તે જે કરીએ તે થાય એમ છે, પણ ભૂંડું થાશે એની ખબર છે ? પછી છોકરાનો સ્પર્શ કરે છે ને વાંદરા જેવા થાય છે. માટે આજ્ઞા મુખ્ય રાખવી, એમાં પાછો પગ ભરવો નહિ, જેને ખપ હોય તેની સારુ આ વાત છે –
કઠણ વચન કહું છું રે, કડવાં કાંકચ રૂપ;
દરદીને ગોળી દઉં છું રે, સુખ થવા અનુપ.
એમ છે. બીજાને શું ? એ તો પશુ જેવા છે, ખરેખરો ગરાસિયો હોય તો પાછો ન ફરે. તે ‘ખાડા ખસે પણ હાડા ન હઠે’ ‘ભાગતાં ભલકું વાગશે રે’ એમાં શો માલ ? સામા ઘા લે, તે ખરો. એવી ઘણીક વાતું કહી. ।।૧૧૫।।