ભજન કરવું તે રાતમાં ઊઠી ઊઠીને મંડે ત્યારે સાચું. ‘આ સાહેબ તારો પણ મન રાખ્યો,’ એમ મન રાખ્યે કાંઇ થાય નહિ.એ તો ઠીક વાહ ! વાહ ! અરે કેટલાક તો લઘુ કરવા જાય તે પૂરી આંખ પણ ઉઘાડે નહિ, જાણે રખે ઊંઘ ઊડી જાશે ને માલ વહી જાશે. ને આખી રાત ચસચસાવે , ને દિવસે તો ગપાટામાંથી નવરા જ શેના થાય ? તેણે શું કાંઇ ભગવાન રાજી થાય છે ? ને જાણે મોટા થઇ ગયા પણ અંબરીષ જેવુંય કયાં થવાણું છે ? ને ખાઇ ખાઇને ઊંઘી રહ્યા, ત્યારે જાણે થઇ રહ્યું.આ તો ફરવા જઇને સૂઇ રહે. એમ કહીને ‘કરજો સત્સંગની સહાય રે, વા’લા’, એ કીર્તન બોલ્યા. ।।૧૧૬।।