અને પાપીની સોબતમાં તો ભગવાન ભૂલી જવાય છે. તે જેમ સૂર્ય આગળ વાલખિલ્ય ઋષિ પાછે પગે ચાલ્યા જાય છે ,એમ મને ભગવાન અખંડ દેખાતા, પણ એક પ્રતિપક્ષીને પાછાપાડવા સારુ વાત કરી તે બહાર મૂર્તિ ભૂલી ગયા, પછી પાછી માંહી દેખાણી. એમ સંગ ઓળખાવીને મૂર્તિ અખંડ દેખાણાનો મર્મ કહ્યો. ।।૧૧૯।।