અને ‘આવા સાધુને કાંઇ મનુષ્ય કે દેવ જેવા ન જાણવા.આ તો મહામોટા છે. માટે સમાગમ કરવો, એ વાત રહી જાશે તો પછી શું કામ આવશે ? ઘોળ્યું મંદિરના રોટલા ખાઇને પણ આનો જોગ કરી લેવો. ઘણોય બાજરો છે તે આવો તો હું આપીશ.’ એમ દયા કરીને કેવળ જ્ઞાન દેવું એ જ આગ્રહ,ને વળી બોલ્યા જે, ‘તમે સાકરની રસોઇ દેશો તેમાં શું ? આગળ એક મણની હજાર મણ દેશું, પણ તેણે કાંઇ કામાદિક શત્રુ ઓછા થાય નહિ, મૂળગા વધે તો ખરા, તે માટે સમાગમ કરી લેવો,એ જ સિદ્ધાંત છે.’ ।।૧૨૬।।