સ્વામી કહે,”બેઠકે ઓળખાય છે. તે મહારાજ પણ પૂછતાં કે ‘આ સાધુ કોની પાસે બેસે છે ? ને આ કોની પાસે બેસે છે ?’ એમ નામ લઇને પૂછે. પછી જે જેની પાસે બેસતા હોય તેના નામ લઇ દેખાડે, ત્યારે તેવો કોઇકનો સંગ ન કરવા યોગ્ય હોય ને સારો સાધુ એની પાસે બેસે છે એમ જાણે ત્યારે કહેશે જે, ‘પંડે તો સારા છે, પણ સાધુ ઓળખતા આવડતા નથી.’એમ કહેતા. માટે આ સંગમાં ભેદ દેખાડ્યો અને ઉત્તમ સંગ કરવો ને નરસાની તો સોબત જ ન કરવી.” ।।૧૪૩।।