અને જો રોટલા મળતા હોય, તો આઘો પાછો પગ જ ન ભરવો; ને જો ભરે તો દુઃખી થાય. ને રોટલા તો સૂતા રહે તોપણ મહારાજ સોડમાં દઇ જાય, નીકર દીધા હોય તે લઇ જાય; માટે દાળ-રોટલા ખાઇને ભજન કરી લેવું. લોકના ફિતુરમાં ને વ્યસન જેટલામાં તો આપણા રોટલા છે, એમ જાણવુંને ડોળ ન કરવો. ।।૧૪૪।।