અને મેડે મંડળી ભેળી થઇને મલકની નિંદા કરે છે, તે જો કરશે તો કાઢી મૂકશું. ને જે ધર્મામૃત આપણી ઉપર જ કર્યું છે તે લોપીને ચોરીઓ કરે છે ને લૂગડાં વધુ રાખે છે તે ઠીક નહિ પડે; જેમ ટિટોડી ઊંચા પગ કરે તેણે કરીને આકાશ નહિ ઝીલાય. તે સારુ કાંઇ અટકયું નહિ રહે, કાઢી જ મૂકશું.
કાંઉ ઝાઝા કાગોલિયાં, ને કાંઉ ઝાઝા કપૂત,હકડી તો મહીડી ભલી, ને હકડો ભલો સપૂત.
તે જે રાખતો હોય તે આ ઘડી ચાલવા માંડો, અમારે તો ધર્મ રાખતા જે થાશે તે કરવું છે, એવો ઠરાવ છે. ।।૧૫૧।।