અને મહારાજની વાંસે કચેરી એકાંતિકની હતી તે તો ઊઠી ગઇ છે ને જાય છે; ને આ તો જયાં સુધી આવા સંતને દસ-વીસ હજાર સારા હરિજન છે ત્યાં સુધી ‘વચનામૃત’નાં વચન, ‘ધર્મામૃત’નાં વચન એ બે તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યને માહાત્મ્યે સહિત ભકિત એ ચાર એકાંતિક ધર્મ રહેશે; ને પછી તો ‘શિક્ષાપત્રી’ પળશે, માટે આપણે તો હમણાં જ સાધી લેવું. ને બ્રાહ્મણને લોટ માંગીને, બાટી શેકીને પણ આ સમાગમ કરવા વાંસે ફરવું, ને ક્ષત્રિયને પાકું માગીને પણ આ કરી લેવાનું છે. ।।૧૫૪।।