અને સ્વામી કહે એક દિવસ મહારાજે મને કહ્યું હતું જે,‘ધર્મકુળમાં રઘુવીરજી જેવા કોઇ નથી.’ તે વાત સાચી. કેમજે, એની રે’ણી કે સ્થિતિ તે કયાંય ન મળે ને ત્યાગની છટા પણ મહારાજના જેવી જ હતી, એવા હવે નહિ થાય; કદી મહારાજ મોકલે તેની વાત નહિ. ।।૧૫૬।।