એકવાર શ્રીજીમહારાજે ઊભા થઇને કહ્યું હતું જે, ‘કોઇ નિયમ ભંગ કરશો મા, ને જેને કરવો હોય તે સત્સંગમાં રહેશોમા, ને આ જે સૂર્ય સરખી અમારી ગોદડીઓ તેમાં ભલા થઇને ડાઘ લાગવા દેશો મા ને મને ભગવાન જાણશે ને કુસંગમાં હશે, તો પણ કલ્યાણ થાશે, ને સત્સંગમાં રહીને નિયમભંગ થાશે તેનું તો ભૂંડું જ થાશે’ એમ મહારાજે કહ્યું હતું, ને એના સાધુ પણ રોજ કહે છે, તે માટે ન રહેવાય તો માગ દેજો. ને ઉંદર ને મીંદડી વહાણમાં બેઠાં, તે મીંદડી કહે ‘ધૂળ ઉડાડ મા’ ત્યારે ઉંદર કહે, ‘મારનારી થઇ હો તો આમ જ મારને. એમ જે જાનારા થયા હો તે જાજો, પણ મીંદડીની પેઠે કરશો મા. ।।૧૫૮।।