આ દેહ જેવું તો કોઇ વ્હાલું જ નથી, તે ખૂણે જઇને સુવાડી મૂકે, પછી કોઇક દ્રવ્ય લઇ જાય, લૂગડાં આદિ પદાર્થ લઇ જાય, અરે ! માથું પણ કાપી જાય તોપણ ખબર પડતી નથી, એમ દેહ સારુ થાય છે. તે દેહનું જે પોષણ કરે તેમાં ને જે દેહની શુશ્રુષા કરે, તેમાં હેત થયા વગર રહે જ કેમ? ને દેહ તો કાલ પડી જશે. માટે એથી નોખું પડવું પછી –
જેનું રે મન વન વાંછતું , અતિ રહેતા ઉદાસજી;
તે તાકયા વસ્તીએ વસવા, બાંધી સહુ સંગે આશજી-જેનું..
જેને રે ગમતી જીરણ કંથા, જેવું તેવું જળ ઠામજી;
તેણે રે રંગ્યા રૂડાં તૂબંડાં, ગમતાં માગે વસ્ત્ર ગામો ગામજી-જેનું .એ બોલ્યા ને બીજું શિષ્યનું પણ એવું છે -પોતાનો પરિવાર પરહરિ, ચાલ્યો એકીલો આપજી;
તેણે રે સ્નેહ કીધો શિષ્ય શું, લીધો પરનો સંતાપજી.
એ બોલ્યા, તે શિષ્ય સારુ વાંસે જાય છે, તે શિષ્ય જાય તો એવું થાય છે. માટે જ્ઞાન શીખવું. ।।૧૬૧।।