આ જીવ તો ઝાડ, પથરા, ધૂળ ને બેલા એ જુએ છે,તેમાં શો માલ છે ? અને મૂળ શાસ્ત્રમાં કહ્યું છે જે, ‘નેત્ર આગળ આવે તે જોવું, પણ બહુ લાંબી દષ્ટિ ન કરવી.’ એમ સાધુનો માર્ગ છે. પણ વારે વારે વખાણ કરે જે, ‘આવું હતું ને આમ થાશે ?’ ને શાસ્ત્રમાં કહ્યું છે જે, નિયમ પ્રમાણે જમે તે સદા ઉપવાસી ને વસ્ત્ર પણ નિયમ પ્રમાણે રાખે તે ત્યાગી, માટે નિયમમાં રહેવું. ।।૧૬૪।।