સ્વામીએ વાત કરી જે, ‘જેને માથે મોટાં શત્રુ હોય તેણે ઊંઘવું નહિ ને જેણે આતતાઇ કર્મ કર્યુ હોય તેને પણ ઊંઘ આવે નહિ. ને તેમ કામ, ક્રોધ ને લોભાદિક શત્રુ માથે છે ત્યાં સુધી ઊંઘવું નહિ. ને જે જે વચન કહ્યાં છે તેને વિસારી દેવાં નહિ. તે જો એકાંતે બેસીને વિચારે તો સાંભર્યા કરે.’ ।।૨૮૩।।