અને કેટલાંક ઢોર સાથે જીવ જોડે છે ને સંભારે છે, તે ઢોર એને વશ થઇ રહે છે ને વાંસે ફરે છે. એમ ભગવાનસામું જોઇ રહેને જીવ જોડે, તો એ વશ થયા વિના કેમ રહે? એ તો પછી એની વાંસે જ ફરે છે, ને સામું જોઇ રહે, કેમ જે, ભકતવત્સલ છે. તે માટે ભગવાન સામું જોઇ રહેવું ને બીજું ઝાડ આદિકમાં કાંઇ જોવું નહિ, ને દેહને ઘસારો લગાડવો હોય તો રાત્રીમાં બે-બે ઘડી ભજનમાં બેસવા માંડે. ।।૧૬૬।।