જીવ પંચવિષય સારુ ખુવાર થઈને મરે છે. તે એક એક વિષય ગિરનાર જેવડાં છે, તે ઊખડતા નથી. ને આ બધો મુલક મંડે તો ગિરનાર પર્વત પણ ઊખેડી નાખીએ, પણ કામ તો કરોડ ઉપાયે પણ ન ઊખડે. ને બે વાંદરા કામ સારુ લડ્યા,તેમાંથી એક વાંદરો દોડ્યો ને ઝાડને બચકું લીધું, તે દાંત ખૂંચી ગયા એટલે મરી ગયો; એવું કામ વિષયનું છે. કામથી ક્રોધનું વધુ-
કામં દહન્તિ કૃતિનો નનુ રોષદ્દષ્ટયા રોષં દહન્તમુત તે ન દહન્ત્યસહ્યમ્ ।
સોઽયં યદયન્તરમલં પ્રવિશન્બિભેતિ કામઃ કથં નુ પુનરસ્ય મનઃ શ્રયેત ।।
એ શ્લોક બોલીને કહ્યું જે, ‘શિવના ગણે તો કામ બાળી નાખ્યો છે પણ ક્રોધે કરીને પોતાના અરધા અરધા હોઠ કરડી ખાધા છે. તે માટે બધુંયે જાળવવું. ને છઠ્ઠું મન પણ નીલ વાંદરા જેવું છે, તે હળી હળીને દોડે છે ને એક ક્ષણ સ્થિર થાતું નથી.’ ।।૧૭૦।।