સાધુને કોઇકે પૂછ્યું જે, ‘કેમ સ્વામિનારાયણ પ્રગટ્યાં ? તેનો શું અભિપ્રાય છે ?’ તે તો મહારાજે કહ્યું છે જે, જીવોને અજ્ઞાન છે, તેનો નાશ કરીને અક્ષરધામમાં લઇ જવા એ અભિપ્રાય છે. તે ઉપર દષ્ટાંત છે જે, એક ઊંદરિયું વર્ષ થયું, તે ઊંદર ખેતર ખાઈને બળિયા થયા પછી તેણે વિચાર કર્યો જે આપણા શત્રુ મીંદડાં છે તેને મારી નાખીએ; પછી તો થોડાક કહે, અમે પેટ ખાશું; થોડાક કહે, અમે પગ; થોડાક કહે, અમે પૂછડું પણ કોઇએ મોઢાનું ન કહ્યું.એમ છે, પણ કોઇ મોઢે ચડીને પૂછતું નથી.

મૂવેલ કાંઉ મારશે, દાલદર દાવલ પીર;

દાવલથી દેદા ભલા, જેણે પઢીને કીધા પીર.

એ મૂવેલ શું પૂછે ? ।।૧૭૩।।