આ દેહને તો જેમ કોઇ પદાર્થ ઉપર તુળસી મૂકે છે ને કૃષ્ણાર્પણ થાય છે, એમ કરી મૂકવો. તે વિના મોક્ષ થાય નહિ, ને શાંતિ પણ થાય નહિ. એટલે એક જણે કહ્યું, ‘હા, શાંતિ થાતી નથી.’ ત્યારે સ્વામી કહે, ‘કયાંથી થાય ? શાંતિ તો આવા સાધુમાં છે; તેને સેવે ત્યારે આવે. જે ભગવાન છે તેણે પોતે આ સાધુને શાંતિ આપી છે. તે માટે આ સાધુનો તો સમાગમ જે કરે તેને શાંતિ આવે.’ ।।૧૭૭।।