સંવત્ ૧૯૨૦ના ભાદરવા સુદિ બીજને દિવસે જૂની ધર્મશાળા ઉખેળીને વાત કરી જે, જે ક્રિયા કરવી તેમાં માન,ક્રોધ ને ઇર્ષા એ ત્રણ તો આવવા દેવાં જ નહિ. અને ક્રિયામાં તો માણસ જડાઇ જાય છે; તે મોરે એક સાધુ ઉપરથી બેલું નાખતાં હતા, ત્યાં તરત પાધરા બેલા સોતા જાતે પડ્યા. પછી ભગવાને રક્ષા કરી, એમ પણ ક્રિયામાં જડાઇ જવાય છે. માટે મોટું કામ તો ધીરે ધીરે કરવું; ને બીજું તો બધુંયે થાય, પણ જે આજ્ઞા ને વર્તમાન પાળે તે ઉપર મહારાજની નિરંતર દષ્ટિ રહે છે. તે આજ્ઞા ને નિયમ તે શું ? જે, ત્રણ ગ્રંથમાં બધું આવી ગયું. ।।૧૮૦।।