વરતાલમાં મેડા ઉપર મહારાજે વાત કરી જે, સ્વામી !હજી નિશ્ચયમાં ફેર છે કે નથી થયો ? જો કોઇક સ્ત્રી ભેળી થઈ હોય તો ડગમગાટ થાય ? જેમ ગોરધનભાઇ તથા તેના પુત્ર તે ભેળા પ્રત્યક્ષ શ્રીજીમહારાજ સૂતા, તે ત્રણ થયા. બીજું ગોકળ ભાટિયાનું કહ્યું જે, નાત બહાર કાઢ્યા ને એની ડોશીને સર્વ ક્રિયામાં ભગવાન દેખાય ને બહાર જાય ત્યાં જે ક્રિયા કરે તે સર્વમાં મહારાજ દેખાય, પણ સત્સંગી નહોતી. ત્યારે એવી કોઇક ક્રિયા જોઇને નિશ્ચય રહે નહિ. સંશય થઇ જાય પણ લીલા ન જણાય, સત્સંગ કરે ને તેમાં જો આ સર્વ કહ્યાં એવાં ચોખા ન સમઝે તો કસર રહી જાય. ।।૧૮૧।।