વહાણ છે તેનું સુકાન ધ્રુવ સામું મરડે છે ને તેના ખેવટિયા ધ્રુવ સામુ જોઇ રહે છે ; તેમ આપણે ભગવાન સામું જ જોવુંને બીજે માલ નથી, ને બીજું તો જે જે કરીએ છઈએ તેમાં વેઠિયાની પેઠે મંડ્યા છઈએ.
પહેલે પૂજત ગોર જયું, પ્રીત કરી મન માંય;
મુકત કહે સ્વારથ સરે, ફિર ડારત ધ્રો માંય.
તે જ્યારે સમાગમ કરશું ત્યારે વ્યવહાર વેઠ રૂપ જણાશે. ।।૧૮૮।।