અને એ જે દશમસ્કંધ તેનું પુરશ્ચરણ જે તે પુણ્ય સ્થાનકને વિષે પોતાનાં સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું. અને વળી વિષ્ણુસહસ્રનામ આદિક જે સચ્છાસ્ત્ર તેનું પુરશ્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું, તે પુરશ્ચરણ કેવું છે, તો પોતાનાં મનવાંછિત ફળને આપે એવું છે. ।।૧૧૮।।