શ્રીજીમહારાજે સંતને પોતાનો રહસ્ય અભિપ્રાય કહ્યો જે,‘કોટિ સૂર્યના તેજથી કોટિગણું તેજ વૈકુંઠના મુકતમાં છે, ને તેથીકોટિગણું તેજ તે ગોલોકના મુકતમાં છે, ને તેથી અનંતકોટિગણુંતેજ તે અક્ષરધામના મુકતના રોમને વિષે છે, ને તેથી અનંતકોટિગણું તેજ તે અક્ષરધામની જે ભૂમિ, તેમાં એક સોપારી રહેએટલા દેશમાં લીન થાય છે; ને અનંત અપાર જે અક્ષરધામનોપ્રકાશ તે સર્વેને ભેળો કરીએ તો સર્વ અવતારના અવતારી જેશ્રીહરિકૃષ્ણ પૂર્ણપુરુષોત્તમ તેના એક રોમના કોટિમાં ભાગનીબરોબર નથી આવતો; એવી દિવ્ય મૂર્તિ તેનું તેજ, ઐશ્વર્ય,પ્રતાપ, બળ, કીર્તિ એવા અનેક દિવ્ય ગુણે યુકત સ્વરાટ નેસત્યસંકલ્પ છે.ને દિવ્ય કર્તાશકિત, જ્ઞાનશકિત, ક્રિયાશકિત, લયશકિત,ધારકશકિત, પ્રેરકશકિત, નિત્યઅલુપ્તશકિત, મહામનોહરશકિત,અચિંત્યશકિત, નિરંકુશશકિત, નિર્વિશેષશકિત, નિર્દોષશકિત,અજિતશકિત, શોભાશકિત, નિયંતાશકિત, સુંદરશકિતએ આદિક અનંત દિવ્યશકિતઓ ને અનેક મહા-આશ્ચર્યકારી ગુણેયુકત દિવ્યમાં દિવ્ય મૂર્તિ પોતાના અક્ષરધામને વિષે સદાવિરાજમાન એવા હરિકૃષ્ણ પુરુષોત્તમ શ્રીસહજાનંદ સ્વામી છે.તે જન્મ ધરતા થકા સદાય અજન્મા, અચ્યુત, અખંડમૂર્તિછે, ને દિવ્યાકૃતિ થકા મનુષ્યાકૃતિ છે ને મનુષ્યાકૃતિ થકા દિવ્યમૂર્તિ છે, ને અક્ષરધામમાં છે તોપણ આંહીં છે,ને આંહીં છે તોપણઅક્ષરધામમાં જ છે. ને એ જયાં છે ત્યાં જ અક્ષરધામનું મધ્યછે. ને ઔદાર્ય, ગાંભીર્ય, માધુર્ય, વાત્સલ્ય, સૌશીલ્ય, જ્ઞાન,બળ, તેજ, રસ, ગંધ એ આદિક મહાઆશ્ચર્યકારી દિવ્ય ગુણેયુકત સર્વોત્તમ શ્રીસહજાનંદસ્વામી પુરુષોત્તમ છે.તે પોતાના અક્ષરધામને વિષે અનેક મુકત ને અનેકશકિતઓ તેમણે સેવ્યા થકા સદાય વિરાજમાન છે. ને પોતેપોતાના સુખે કરીને સુખિયા છે, ને અક્ષરાદિક સર્વે ઉપર દયાકરીને એમની સેવાને અંગીકાર કરે છે ને પોતે તો સર્વ પ્રકારેનિર્દોષ છે ને પૂર્ણકામ છે, ને અનંત અક્ષરાદિક મુકત ને અનંતશકિતઓ ને અનંત વિભૂતિઓ અને અનેક ઐશ્વર્ય ને એ સર્વેએસેવ્યા થકા અનાદિ નિત્યસિદ્ધ, અનવધિકાતિશય ને નિરંકુશ દિવ્ય એવું ઐશ્વર્ય તેણે યુકત થકા ને શ્રીધર્મદેવ ને ભકિતમાતાથકી છે જન્મ જેમનો એવા જે સ્વામિનારાયણ તે જ અક્ષરાતીતસર્વોપરી પુરુષોત્તમ છે. તેમાંથી સર્વ અવતાર પ્રગટ થાય છેને પાછા તેમને વિષે લીન થાય છે. તે માટે દિવસે દિવસે શ્રદ્ધા,જ્ઞાન, માહાત્મ્ય, વિશ્વાસ, પ્રીતિ, આશ્રય ને અનુવૃત્તિ એ અધિકઅધિક સમજાય એવો શાંતપણે ઉપાય કરવો. ને તેવો જ સંગને શાસ્ત્ર રાખવાં.’ એ સર્વે મોટા સંત ને શ્રીજીમહારાજનો પરમરહસ્ય અભિપ્રાય છે તે કહ્યો. ।।૩૦।।