અને એવા જે પ્રત્યક્ષ શ્રીસહજાનંદસ્વામી પરબ્રહ્મ પરમકારુણિક તેમની મૂર્તિના બે ચરણારવિંદથી લઇને મસ્તક સુધીસર્વ અંગને પૃથક્ પૃથક્ ધારીને એકાંત સ્થળને વિષે બેસીનેઇન્દ્રિયો, મન, પ્રાણ તેનો પ્રત્યાહાર કરીને પૂર્વાપર રાત્રિને વિષે, અતિ દઢ મતિએ કરીને, અતિ દઢ ચિત્તે કરીને, અતિશેસ્થિર થઇને, યોગી તેણે શ્રીહરિનું ધ્યાન કરવું. કામાર્ત , તસ્કર ,નટ, વ્યસની ને દ્વેષી એ સર્વે પોતપોતાના વિષયને વિષે જેમતત્પર થઇને મંડ્યા છે, તેમ મુનિ જે તે શ્રીહરિની મૂર્તિ ધારવાનેવિષે અતિ હર્ષેયુકત છે મન જેનું એવો થકો તત્પર થઇને મંડેને સાધ્વી , ચકોર, શલભ , મચ્છ, ચકવા, ચકવી ને બપૈયા એ જેમ પોતપોતાના વિષયમાં નિમગ્ન છે, તેમ યોગી જે તેશ્રીહરિની મૂર્તિમાં અતિશે આનંદે થકો નિમગ્ન રહે. નેસમુદ્રમંથન કરવાને સમે જેમ દેવ-દાનવ મનમાં વિશ્વાસ રાખીનેમંડ્યાં હતા, તેમ યોગીએ મનમાં દઢ વિશ્વાસ રાખીનેભગવાનની મૂર્તિ ધારવાનો નિત્ય નવો અભ્યાસ રાખવો. નેરસાસ્વાદ, નિદ્રા, હિંસા ને વિક્ષેપ એ ધ્યાનમાં વિરોધી છે,તેનો ત્યાગ કરે ત્યારે ધ્યાન થાય, નહીં તો ન થાય. ।।૩૨।।