અને પાંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું મન તેને જીતીને, વશ કરીને,પિંડ, બ્રહ્માંડ અને પંચવિષય તેમને જડ, દુઃખરૂપ, તુચ્છ,નાશવંત ને વિષ્ટારૂપ જાણીને ત્યાગ કરીને; સત્-ચિદ્-આનંદ,સૂક્ષ્મ ને નિર્ગુણ એવું જે પોતાના જીવાત્માનું સ્વરૂપ તેને જાણીને,ને તે જીવાત્મારૂપ થઇને મુનિ થકા શ્રીહરિનું ધ્યાન કરવું. નેજાતિ, વર્ણ, આશ્રમ ને ગુણ તેનું જે માન તેનો ત્યાગ કરીનેસમગ્ર સાધુ, સત્સંગી તેના દાસના દાસ થઇને રહે છે, તેને જશ્રીહરિનું ધ્યાન થાય છે. ને શ્રીહરિનું સમગ્રપણે માહાત્મ્ય જાણ્યાવિના બીજા કોટિ સાધન કરે, પણ સર્વ ક્રિયાને વિષે અખંડનામ-રટન ને મૂર્તિની અખંડ સ્મૃતિ રહે નહિ. ને અનંતકોટિબ્રહ્માડં નાં વિષય સુખ ભેળાં કરીએ તોપણ શ્રીહરિની મૂર્તિના એકરોમના સુખ ની કોટિમાં ભાગની બરોબર આવે નહિ. ને જેમહાપાતકી હોય ને તે જો શ્રીહરિનું ભજન કરે તો તેનાં સમગ્રપાપ બળીને ભસ્મ થઇ જાય, એવો અતિ અલૌકિક મહિમા છે.સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર છે એમનું તત્ત્વ તો એકશ્રીહરિની મૂર્તિ છે. એવી જેની અચળ મતિ હોય એવાવિચક્ષણને શ્રીહરિનું ધ્યાન થાય છે. ને સંપૂર્ણ ગુણ, સુખ નેસામર્થ્ય તો એક ભગવાનની મૂર્તિમાં જ છે ને બીજે ઠેકાણે તોકિંચિત્ છે; ને અનંતકોટિ બ્રહ્માંડનાં જે વિષય સુખ છે તે ભેળાંકરીએ તો શ્રીહરિનું નિમેષમાત્રનું ધ્યાન કે દર્શન કર્યું હોય તેનાકોટિમાં ભાગની બરોબર આવે નહિ; ને સાધુ, સત્સંગી નેઅક્ષરાદિક એ સર્વેનું તત્ત્વ તો શ્રીહરિની મૂર્તિ છે; એવી આસ્તિકમતિએ સહિત જેની સમજણ છે, તેને જ શ્રીહરિનું ધ્યાન થાયછે. ને અક્ષિવિદ્યા, દહરવિદ્યા ને અક્ષરવિદ્યા એ આદિક સર્વેબ્રહ્મવિદ્યા તેમણે કરીને જાણવા યોગ્ય તો અક્ષરાદિક સર્વેનાશરીરી ને કારણ, પરબ્રહ્મ પ્રગટ હરિકૃષ્ણ છે; એવી જેની અચળમતિ છે, તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. જેમ પાંચ મોઢાવાળી ચામડાની મશક હોય તેમાંથી એકમોઢું મોકળું મેલે, તો સર્વે જળ સ્રવી જાય છે; તેમ પંચ ઇન્દ્રિયોને છઠ્ઠું મન તેમાંથી જો એક મોકળું મૂકે તો સર્વે ધ્યાન સ્રવીજાય છે. તે માટે સર્વેને નિયમમાં રાખે તો ધ્યાન થાય, નહીંતો ન થાય. ને સ્વસ્તિક આસને કરીને, નાસિકાગ્ર વૃત્તિ રાખીનેને દેહને સમ રાખીને ને નેત્રને મીંચીને, યુકત છે આહારવિહારાદિક જેનો એવો થકો શુદ્ધ જીવરૂપ થઇને, અતિશેરોમાંચિત કરીને , અતિ ગદ્ગદ્ કંઠે કરીને, અતિ હર્ષાયમાનથકો, અતિ ત્વરાએ કરીને, અતિશે દાંત થકો, અતિશે શાંતથકો ને અતિશે સમાહિત થકો, શ્રીહરિનું ધ્યાન કરે ને શ્રીહરિનુંસ્વરૂપ, સ્વભાવ ને ગુણ તેમને સદાય નિર્દોષ, સર્વોત્તમ,અનાદિ, નિત્યસિદ્ધ અને સદા શુદ્ધ સમજે. ને સર્વકાળનેદિવ્યવિગ્રહ , સત્યસ્વરૂપ ને કાળ, કર્મ, માયા ને પુરુષ તેનાકર્તા, પ્રેરક ને નિયંતા તો એક શ્રીહરિ જ છે; એવી જેને અચળમતિ છે, તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. ।।૩૩।।