અનંત અપાર ધામરૂપ જે અક્ષરબ્રહ્મ તેનું સમગ્ર સુખભેળું કરીએ તોપણ શ્રીહરિના એક રોમના સુખની બરોબર નઆવે, એવો દઢ જ્ઞાની છે તેને શ્રીહરિનું ધ્યાન થાય છે.આ લોક-પરલોકને વિષે દુર્લભ તે શું છે ? તો શ્રીહરિનાસ્વરૂપનું જ્ઞાન, ઉપાસના, આશરો, વિશ્વાસ, અનુવૃત્તિ ને પ્રીતિએ અચળ થાય એ જ દુર્લભ ને સારમાં સાર છે. નેમુક્તાનદં સ્વામી, ગોપાળાનદં સ્વામી, નિત્યાનદં સ્વામી, બ્રહ્માનદં સ્વામીએ આદિક સાધુ ને સત્સંગી અનેક, શ્રીહરિની ઉપાસનાએ કરીનેપરમપદને પામી ગયા. પ્રથમ ઉત્પત્તિકાળ સમે અનંતકોટિબ્રહ્માંડના જે બ્રહ્માઓ તે જે તે મહા ઉગ્ર એવું જે તપ તેણે કરીનેભગવાનને રાજી કરીને પોતાનો મનોરથ સિદ્ધ કરે છે. તેમશ્રીહરિનો જે મનુષ્યભાવ, દિવ્યભાવ, નિગર્ણુ -સગુણપણું, સાકાર-નિરાકારપણું, કર્તા- અકર્તાપણું, અન્વય-વ્યતિરેકપણું, સ્વભાવ, ગુણને નામ તે જેમ છે તેમ નિર્દોષપણે જાણીને તથા એમનું જેસ્વરૂપ તે પણ શ્રવણ, મનન, નિદિધ્યાસ ને સાક્ષાત્કાર વડે જેમછે તેમ યથાર્થ જાણીને દઢ આશરો કરવો, તે રૂપી જે તપ તેણેકરીને ભગવાનને રાજી કરવા. ।।૩૪।।