શ્રીપૂર્ણપુરુષોત્તમ ભગવાનનાંઐશ્વર્ય તથા સામર્થ્યનું મુખ્યપણું
માણાવદરમાં મયારામ ભટ્ટને ઘેર રામાનંદસ્વામીને પઠાણે પૂછ્યું જે,‘તમને આ લોક સર્વે અલ્લા કહે છે તે તમે અલ્લાછો ?’ ત્યારે રામાનંદસ્વામી તે પઠાણ પ્રત્યે બોલ્યા જે,‘એમતો ફકીર છઈએ પણ અલ્લાની આજ્ઞાએ કરી અલ્લાની ગાદીએબેઠા છઈએ. ’ એમ રામાનદં સ્વામીએ કહ્યું. ત્યારે મહારાજે પોતાનીદષ્ટિમાત્રે કરીને તે પઠાણને સમાધિ કરાવી, ને તે સમાધિનેવિષે પોતાની સ્તુતિ કરતાં જે સર્વે પેગંબર તથા રામાનંદસ્વામીતથા સર્વે અવતાર એ સર્વેના દર્શન અક્ષરધામને વિષે કરાવ્યાં,અને તે સર્વેને પોતાની મૂર્તિને વિષે લીન કરી દેખાડ્યા.પછી શ્રીજીમહારાજે પોતાની દષ્ટિમાત્રે કરીને તે પઠાણનેજગાડ્યો. પછી તે પઠાણ રામાનંદસ્વામી પ્રત્યે બોલ્યો જે,”તમારા હિંદુમાં એવો અન્યાય કેમ છે ? જે, મોટા છે તે હેઠાબેઠા છે ને છોટા છે તે ઊંચા બેઠા છે ?” ત્યારે રામાનંદસ્વામીએકહ્યું જે,”અમારે હિંદુમાં એવો ધારો છે જે, રામચંદ્રજી હેઠા બેસતાને રામચંદ્રજીની આજ્ઞાએ કરીને વસિષ્ઠ ઊંચા બેસતા. તેમ એમપણ આ નીલકંઠ બ્રહ્મચારીની આજ્ઞાએ કરીને ઊંચા બેઠા છઈએપણ મોટા તો એ છે.” એવી રીતે રામાનંદ સ્વામીએ મર્મે કરીનેઉત્તર કર્યો. ।।૧।।