જેતપુરમાં ઉનડરાજાને ઘેર રામાનંદસ્વામીએ પોતાનાધર્મધૂરંધરપણાની શ્રીસહજાનંદસ્વામીને સોંપણી કરી, ત્યારેકોઇને સંશય થયો જે,‘મોટા મોટા સાધુ છે તેને કેમ સોંપણીન કરી ?’ ત્યારે રામાનંદસ્વામીએ કહ્યું જે,‘આ નીલકંઠ બ્રહ્મચારીતો મોટા મોટા રામ, કૃષ્ણ, વાસુદેવ ને અક્ષરાદિક એ સર્વેનેપ્રાર્થના કરવા યોગ્ય ને પૂજવા યોગ્ય છે, ને એમ પણ એનામૂકયાં આવ્યાં છીએ, ને એ તો અનેક જીવનાં કલ્યાણ કરતાંકરતાં અહીં આવે છે.આ તો સર્વોપરી રામકૃષ્ણાદિક અવતારના અવતારી તેહરિપ્રસાદ નામે વિપ્રને ઘેર પ્રગટ થયા છે. માટે એ તો સર્વેનેમાનવા યોગ્ય, ભજવા યોગ્ય, ને પામવા યોગ્ય છે. પૃથ્વીનેવિષે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ ચિત્રવિચિત્ર અનંત પ્રકારનાછે; તેમ સર્વ અવતાર થકી, સર્વ વિભૂતિ થકી, સર્વશકિત થકી,અક્ષરના મુકત થકી ને અક્ષરધામ એ સર્વ થકી અતિ સર્વોપરી,અક્ષરાતીત, સર્વસુખમય, આનંદમય, સર્વજ્ઞ, સર્વત્રપૂર્ણ,દિવ્યમૂર્તિ, સર્વોત્તમ કારણ, સર્વકર્મફળપ્રદાતા, સર્વાધાર, સર્વશિક્ષક , સર્વવ્યાપક, સર્વોપાસ્યમૂર્તિ, સર્વચિંતનીય, સર્વરસમય,સર્વઇચ્છામય, પરિપૂર્ણમૂર્તિ, નિર્દોષમૂર્તિ, અખંડમૂર્તિ, સર્વભજનીય,સર્વઐશ્વર્યભાજન , સર્વશકિતભાજન, સર્વવિભૂતિભાજન,સર્વસુંદરતાભાજન, સર્વલાવણ્યભાજન, સર્વકરુણાભાજન,અનંત કલ્યાણકારી દિવ્યગુણભાજન, તરેહ તરેહનાચિત્રવિચિત્ર મહા-આશ્ચર્યકારી, અનવધિકાતિશય , અજહ ત્સ્વરૂપસ્વભાવ-ગુણ તેના મહોદધિ , એવા શ્રીસહજાનંદસ્વામી પુરુષોત્તમસર્વોપાસ્ય, રાજાધિરાજ છે અને સર્વ અવતારના અવતારી છે.માટે, નીલકંઠ બ્રહ્મચારીનાં જે ગુણ છે તેને કહેવા-જાણવાને અર્થેતો અક્ષર પર્યંત કોઇ સમર્થ નથી; તો હું પણ કહેવા-જાણવાનેઅર્થે કયાંથી સમર્થ થાઉં ? તે માટે આ તો અગણિત જીવનાંકલ્યાણ કરવાને અર્થે અક્ષરધામમાંથી આંહીં પધાર્યા છે.તે માટે એમ તો એમની આજ્ઞાએ કરીને જીવનાં કલ્યાણકરતા પણ હવે તો સાક્ષાત્ પોતે પુરુષોત્તમ પધાર્યા છે; એટલેજેવો પોતાનો પ્રતાપ છે ને મહિમા છે, તેવાં જ જીવનાં કલ્યાણકરશે; માટે આ તો અક્ષરધામના પતિ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમભગવાન પધાર્યા છે. ને તે પૂર્વે ભગવાનના અવતાર થયા તેણેજીવોનાં જે કલ્યાણ કર્યા છે તેવાં કલ્યાણ તો પોતાના ભકતદ્વારા સહેજમાં કરશે. એવા જે, આ નારાયણમુનિ તેના પ્રતાપને ઐશ્વર્ય છે તે તમોને આગળ જણાશે.’ એવી રીતે રામાનંદસ્વામીએ પોતાના આશ્રિત જે પરમહંસ તથા સત્સંગી તેમનીઆગળ આ નીલકઠં બ્રહ્મચારીના પ્રતાપની બહુ વાત કરી. ।।૨।।