શ્રીજીમહારાજને લોજમાં સમાધિવાળા મૂળજી ભકતે કહ્યુંજે, ‘પુરુષોત્તમના બીજા અનતં અવતાર થયા ને બીજા થાશે ને બીજાધામમાં જે સર્વે મૂર્તિઓ છે તે સર્વેનું મને દયા કરીને દશર્ન કરાવો.’ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે,‘બીજા સર્વે અવતાર તેમનાનામ લઇને સંકલ્પ કરો, જે એ જો સર્વેના કારણ હોય તો તેમનેપ્રતાપે કરીને મારે એ સર્વેનું દર્શન થાઓ.’ ત્યારે તે ભકતે બીજાસર્વે અવતારનું નામ લઇને સંકલ્પ કર્યો, પણ તે સર્વેના દર્શનથયા નહીં.ત્યારે શ્રીજીમહારાજ બોલ્યાં જે,”તે સર્વેના કારણ પ્રગટપ્રમાણ પુરુષોત્તમ આ શ્રીજીમહારાજ હોય, તો તે સર્વેનું દર્શનમને થાઓ.” પછી એમ સંકલ્પ કર્યો કે તત્કાળ એ સર્વે રૂપનાંદર્શન થયાં, ને તે સર્વે અવતાર તે શ્રીજીમહારાજની સ્તુતિ કરતાથકા શ્રીજીમહારાજની મૂર્તિને વિષે લીન થયા. એવી રીતે પોતાનોસર્વોપરી પ્રતાપ દેખાડીને પોતાના પુરુષોત્તમપણાનો દઢ નિશ્ચયમૂળજી ભકતને કરાવ્યો. ।।૪।।