દીવ ગામનો વાણિયો સંઘ કાઢીને દ્વારકાની જાત્રા કરવાજતો હતો. તેને લોજપુરમાં શ્રી રામાનંદસ્વામી મળ્યા, તેનેચમત્કાર દેખાડ્યો, તેણે કરીને તેમને ભગવાનપણાનો રામાનંદસ્વામીને વિષે નિશ્ચય થયો. પછી તે ભકત પાછો દીવ ગયોને પછી ઘણા દિવસે પાછો દર્શને આવ્યો ત્યારે રામાનંદસ્વામીતો દેહ મૂકીને ધામમાં ગયેલા.પછી તે ભકત શ્રીજીમહારાજ પાસે આવીને બેઠો. ત્યારેમહારાજ બોલ્યા જે,‘તમારે કાંઇ સંશય હોય તો આ બાળકલખમણ સમાધિવાળો છે તેને પૂછો.’ત્યારે તેમણે જે પ્રશ્ન પૂછ્યાં તે પ્રશ્નના ઉત્તર સમાધિવાળોબાળક તેણે કર્યા. એમ બાળક દ્વારા રામાનંદસ્વામીના જેવોશ્રીજીમહારાજે ચમત્કાર જણાવ્યો, ત્યારે તે ભકતે શ્રીજીમહારાજપ્રત્યે કહ્યું જે,‘હે મહારાજ ! હું પ્રથમ રામાનંદસ્વામીને ભગવાનજાણતો હતો, પણ તે રામાનંદસ્વામીના જેવો આ બાળકને વિષેતમારે પ્રતાપે કરીને ચમત્કાર જણાયો; ત્યારે તમારા મોટા મોટાસાધુ તથા સત્સંગી તેમનો પ્રતાપ તો ઘણો હશે ને તમારી મૂર્તિનોજે પ્રતાપ ને મહિમા તે તો બહુ અધિક જ હશે. માટે તમારાસ્વરૂપનું જેમ છે તેમ યથાર્થ મને જ્ઞાન થાય, તેમ કૃપા કરીનેમને કહો.’ત્યારે શ્રીજીમહારાજે તે ભકતને કહ્યું જે,‘અંતરની વાર્તાજાણવે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય છે, તો અમારા મોટામોટા સાધુ તથા સત્સંગી તે અનંત જીવની વાર્તા જાણે એવાછે. માટે પૂર્વે થયા જે અવતાર તેમના જેવું ઐશ્વર્ય તે તો અમારાસાધુ-સત્સંગીમાં જણાય છે ને અમે તો સર્વે અવતારના અવતારીને અક્ષરધામના પતિ શ્રીપુરુષોત્તમનારાયણ છઈએ, તે અગણિતજીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છઈએ.’ તે વાર્તાને સાંભળીનેતે ભકતને શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો.પછી તે ભકતે શ્રીજીમહારાજના પ્રગટ પુરુષોત્તમપણાનીવાર્તા તે બીજા રામાનંદસ્વામીના જૂના હરિભકત હતા તેમનીઆગળ કહી; પણ તે વાત તેમના માન્યામાં ન આવી. પછીતે રામાનંદસ્વામીના નિશ્ચયવાળા હરિભકત હતા, તેમણે શ્રીજી-મહારાજની પાસે આવીને તે નિશ્ચયની વાત પૂછી; ત્યારે તેનેશ્રીજીમહારાજે કહ્યું જે,‘તમે ધ્યાનમાં બેસો તો જેમ છે તેમજણાશે.’ ત્યારે તે હરિભકત ધ્યાનમાં બેઠા. તેમને શ્રીજીમહારાજપોતાની દષ્ટિમાત્રે કરીને સમાધિ કરાવતા હવા.તે અક્ષરધામને વિષે અનંત પાર્ષદે સહિત પોતાની દિવ્યમૂર્તિનું દર્શન કરાવ્યું, તથા રામાનંદસ્વામી તથા બીજા સર્વેઅવતાર તે શ્રીજીમહારાજની સેવામાં દીઠાં ને પછી તે સર્વેઅવતાર શ્રીજીમહારાજને વિષે લીન થયા, એમ દીઠું. પછી તેસર્વે ભકતને શ્રીજીમહારાજનો સર્વોપરી પુરુષોત્તમપણાનો દઢનિશ્ચય થયો. પછી તે સર્વ ભકતને પોતાની દષ્ટિમાત્રે કરીનેજગાડતા હવા. પછી સર્વે ભકતે કહ્યું જે,‘હે મહારાજ ! તમેતો સર્વોપરી પુરુષોત્તમ છો તે અગણિત જીવોના કલ્યાણને અર્થેકૃપા કરીને આંહીં પધાર્યા છો.’પછી શ્રીજીમહારાજ તે ભકત પ્રત્યે બોલ્યા જે,”આપુરુષોત્તમ ભગવાન તે આ બ્રહ્માંડને વિષે આવ્યા નથી ને આવશેપણ નહિ; માટે આ તો સર્વોપરી મૂર્તિ છે, તેમાં કિંચિત્માત્ર સંશય નથી.” ।।૫।।