અગત્રાઇમાં હાલ મંદિર છે ત્યાં શ્રીજીમહારાજે ભાઇરામદાસજીને કહ્યું જે,‘તમારું અંગ કહો; પછી અમે અમારું અંગછે તે કહીશું,’ પછી રામદાસભાઇએ પોતાનું અંગ કહ્યું જે,‘ત્રણઅવસ્થામાં જીવાત્માને વિષે તમારી મૂર્તિને તેજે સહિત અખંડદેખું છું, એવું તમારી કૃપા થકી અખંડ વર્તે છે.’પછી શ્રીજીમહારાજે પોતાનું અંગ કહ્યું જે,”અક્ષરાદિકમુકત તથા પુરુષ, કાળ, માયા, પ્રધાનપુરુષ તથા અનંત કોટિબ્રહ્માંડના ઇશ્વર તથા સર્વે વિભૂતિઓ તથા સર્વે જીવ એ સર્વેનોનિયંતા ને એ સર્વેનો કર્મફળપ્રદાતા તે હું એક જ છું; ને તેસર્વના સ્વરૂપ, સ્વભાવ ને ગુણ તેને અખંડ અમે દેખીએ-જાણીએછીએ; પણ એ સર્વે જે અક્ષરાદિક તે મારી મૂર્તિનો મહિમાજેમ છે તેમ દેખવા-જાણવા સમર્થ નથી ને હું પણ મારી મૂર્તિનામહિમાના અંતને નથી પામતો ને એ સર્વે સામર્થ્ય તે મારીમૂર્તિના એક રોમના કોટિમાં ભાગની બરોબર પણ નથી આવતું.એવી અનવધિકાતિશય, મહાઆશ્ચર્યમય ને સર્વોપરી આ મૂર્તિછે; એમાં કિંચિત્માત્ર સંશય નથી, એ અમારું અંગ છે, તેકહ્યું.” ।।૬।।