નાગડકામાં સ્વરૂપાનંદસ્વામી દેશમાંથી ફરીને આવ્યા, તેનેલીંબડા હેઠે શ્રીજીમહારાજે પૂછ્યું જે,”કેટલા જીવના કલ્યાણકર્યા ?” ત્યારે સ્વરૂપાનંદસ્વામી બોલ્યા જે,‘હે મહારાજ ! મનુષ્યતો લીંબડી કે નીચે દેખા હે.’ ત્યારે સર્વે સંતે મહારાજને પૂછ્યુંજે,”સ્વામીએ મનુષ્ય દેખ્યા નહીં ત્યારે કલ્યાણ કેના કર્યાહશે ?”ત્યારે શ્રીજીમહારાજ સંત પ્રત્યે બોલ્યા જે “બીજા તો નિયમધરાવીને વર્તમાન પળાવે ત્યારે કલ્યાણ થાય ને સ્વરૂપાનંદસ્વામીનાં તો દર્શને કરીને જીવના કલ્યાણ થાય છે.” ત્યારેસ્વરૂપાનંદસ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે ગુરુ સાહબે !આજ સત્સંગી કા કૈસા કલ્યાણ હોતા હૈ ?”ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”જૈસા કલ્યાણ બડે બડેઅવતાર કા હોતા હૈ વૈસા કલ્યાણ આજ સત્સંગી કા હોતા હૈ.”ત્યારે સ્વરૂપાનંદસ્વામી બોલ્યા જે,‘ગુરુસાહેબ ! તબ તો બોતબડા કલ્યાણ હોતા હૈ.’ત્યારે સંતે શ્રીજીમહારાજને પૂછ્યું જે,”હે મહારાજ ! આજઆવું મોટું કલ્યાણ થાય છે તેનું શું કારણ છે ?” ત્યારેશ્રીજીમહારાજ સંત પ્રત્યે બોલ્યા જે, ‘જયારે જૂ વિંયાય ત્યારેલીખ આવે, ને હાથણી વિંયાય ત્યારે ભેંસ જેવડું બચ્ચુ આવે.તેમ પૂર્વે રામકૃષ્ણાદિક અવતાર થઇ ગયા ને આગળ બીજા થાશેને બીજા ધામને વિષે જે મૂર્તિઓ છે તે સર્વેનું કારણ ને સર્વથકી પર જે શ્રીપુરુષોત્તમનારાયણ તે અમે છઈએ; તે માટે એવુંકલ્યાણ કરીએ છઈએ; તે જો એમાં ખોટું કહેતા હોઇએ તોઅમને આ સર્વે પરમહંસના સમ છે; ને આ પ્રગટ પુરુષોત્તનાસ્વરૂપને સમજયામાં ખામી રહી જાશે, તો કલ્યાણમાં બહુ ફેરપડી જાશે, પછી દેહ મુકયા કેડે તે ખામી ભાંગશે નહીં. માટેજેમ વૈકુંઠવાસીને રહેવાનું વૈકુંઠધામ છે, ને જેમ ગોલોકવાસીનેરહેવાનું ગોલોકધામ છે, એમ અમારે રહેવાનું અક્ષરધામ છે.અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમ તેનો જેને નિશ્ચય થયો છે,તે જો સર્વેના કારણ જે મૂળપુરુષ તેથી પર અક્ષરરૂપે પોતાનાઆત્માને નથી માનતો, તેને તો પ્રગટ પુરુષોત્તમનો યથાર્થ નિશ્ચયનથી. ને જેને મહિમાએ સહિત પ્રગટ પુરુષોત્તમનો યથાર્થ નિશ્ચયથયો છે, તે તો મૂળપુરુષ ને અક્ષર જેવા અનંત કોટિ મુકતેસેવ્યા જે અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમ તેની ઉપાસના તથા ભકિતકરતો થકો પોતાને પૂર્ણકામ માને છે, તેને જ મહિમાએ સહિતનિશ્ચય છે. ને આ વાર્તા યથાર્થ તો ભગવાનના એકાંતિક ભકતહોય તેને પ્રસંગે કરીને સમજાય છે; પણ પોતાના બુદ્ધિબળે કરીનેતથા શાસ્ત્રે કરીને પણ પોતાની મેળે સમજાતી નથી.’ એવી રીતેશ્રીજીમહારાજે સતં આગળ પોતાના પ્રગટ પુરુષોત્તમપણાની વાતકરી. ।।૭।।