એક સમે શ્રીજીમહારાજે વ્યાપકાનંદસ્વામીને ગઢડામાંઅક્ષરઓરડીમાં કહ્યું જે,”ઇન્દ્રલોકમાં જઇ આવો.” ત્યારે કહેઃ”જઇ આવ્યો.” ત્યારે કહ્યું જે,”ગોલોક તથા બ્રહ્મધામને વિષેજઇ આવો.” ત્યારે કહ્યું “જઇ આવ્યો.” ત્યાર પછી ફરી આજ્ઞાકરી જે,”ભૂમાપુરુષ પાસે જઇ આવો.” ત્યારે તે વ્યાપકાનંદસ્વામી કહે જે,”હજાર માથાનો દૈત્ય માર્ગ રોકીને રહ્યો છે.”ત્યારે મહારાજે કહ્યું જે,”તમે પણ એવું રૂપ ધરીને તેને જીતીનેજાઓ.” પછી તેમ કર્યુ. પછી ફરીને કહ્યું જે,”બીજો દસ હજારમાથાનો દૈત્ય આગળ છે.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે,”તમેપણ તેથી મોટું રૂપ ધરીને તેને જીતીને જાઓ.”પછી તે તેમ કરીને ભૂમાપુરુષ પાસે ગયા. ત્યારે તેભૂમાપુરુષે વ્યાપકાનંદસ્વામીને કહ્યું જે,”પુરુષોત્તમનું પ્રગટપણુંપૃથ્વીને વિષે થયું ?” ત્યારે તે કહે જે, ‘થયું.’ એ વાર્તા સાંભળીનેભૂમાપુરુષ અતિશે ગદ્ગદ્ કંઠે થઇને રાજી થઇ જતા હવા નેસંતને પોતાના સિંહાસન ઉપર બેસાડીને અતિશે સુગંધીમાનપુષ્પ-ચંદનાદિકે કરીને તેની આરતી-પૂજા કરતા હવા; ને અતિશેઆનંદથી શ્રીજીમહારાજના સમાચાર પૂછીને બોલ્યાં જે,‘મનેપ્રથમ શ્રીજીમહારાજે કહ્યું હતું જે,”અમો જયારે બ્રહ્માંડમાં પધારશુંત્યારે તમ પાસે સતં મોકલીશું. ” તે આજ સત્ય કર્યું. ’ એવી રીતેપરસ્પર બે જણે શ્રીજીમહારાજના મહિમાની વાર્તા સારી પેઠે કરી.તે પછી તે લોકમાં ચાર ભુજાવાળા મનુષ્ય હતા તેમનેવ્યાપકાનંદસ્વામીએ શ્રીજીમહારાજના મહિમાની વાર્તા કરીનેનિશ્ચય કરાવીને તે સર્વે મુકતને બ્રહ્મપુરને વિષે મોકલી દીધા.પછી સમાધિમાંથી પાછા આવીને શ્રીજીમહારાજને જેમ થયું તેમવાત કરી દેખાડી.તે વાતને સાંભળી શ્રીજીમહારાજે વિચાર કર્યો જે,‘જયારેબાદશાહ ગાદીએ બેસે ત્યારે બંદીવાનમાત્રને છોડી મૂકે છે, તેમઅમારે પણ અગણિત જીવના કલ્યાણ કરવાં છે.’ એમ વિચારીનેસ્વરૂપાનંદસ્વામીને આજ્ઞા કરી જે,‘તમે જાઓ તે સર્વે નરકકુંડનાજીવમાત્રને ચતુર્ભુજ રૂપ ધરાવીને ભૂમાપુરુષના લોકમાં મોકલો.’ત્યારે તે સંતે તેમજ કર્યુ. પછી તે સંત પાછા આવ્યા.ત્યારે તે સંત પ્રત્યે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘હે સંતો !અમો કોઇ દિવસ અક્ષરધામમાંથી આ બ્રહ્માંડમાં આવ્યા નથીને આવશું પણ નહિ; માટે આજ તો અમારે અગણિત જીવનાંકલ્યાણ કરવાં છે, તે માટે અમો તથા અક્ષરધામ તથા અક્ષરનામુકત તથા બીજા ધામના ભગવાન તથા બીજા ઇશ્વરકોટિ તેણેસહિત અમે આંહીં પધાર્યા છઈએ. માટે તે સર્વેને અક્ષરધામમાંલઇ જાવા છે.’ એવી રીતે સંત આગળ મહારાજે પોતાનામહિમાની વાત કરી. ।।૧૦।।