એક પઠાણ ઝીંઝાવદરની સીમમાં આવ્યો, ત્યારે તેનામનનાં સંકલ્પ સર્વે બધં થઇ ગયા ને અંતરમાં ટાઢું થઇ ગયું.તેથી જાણ્યું જે,‘આ ગામમાં કોઇ મોટાપુરુષ છે.’ પછી તેણેગામમાં આવીને અલૈયાખાચરને પૂછ્યું જે,”આ ગામમાં કોઇમોટાપુરુષ છે ? તેના દર્શન મને કરાવો; કેમ જે, તે મોટાપુરુષેમારું મન ખેંચી લીધું છે.”ત્યારે તે પઠાણને શ્રીજીમહારાજના દર્શન કરાવ્યાં તે દર્શનમાત્રેકરીને તે પઠાણને સમાધિ થઇ ગઇ. ને અક્ષરધામને વિષેઅનંત મુકતે સેવાતા એવા શ્રીજીમહારાજનું દર્શન થાતું હવું.પછી શ્રીજીમહારાજ તેને પોતાની દષ્ટિમાત્રે કરીને જગાડતા હવા.પછી તે પઠાણે શ્રીજીમહારાજને પૂછ્યું જે,‘હે મહારાજ !તમે તો સર્વોપરી ભગવાન છો, માટે તમારા સ્વરૂપનું જ્ઞાન બીજાકોઇકને કહું ?’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘તમ જેવા હોયતેને કહેજો.’ એવી રીતે શ્રીજીમહારાજે પોતાનો અલૌકિક પ્રતાપદેખાડ્યો. ।।૧૨।।