ગામ વાંઢિયામાં પરોક્ષ અવતારનાં ઉપાસક દેવજી ભકતહતા. તેને ઘેર શ્રીજીમહારાજ પધાર્યા, ત્યારે તેણે પૂછ્યું જે,‘હે મહારાજ ! તમે કેના સંત છો ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યાજે,‘અમે તો સ્વામિનારાયણના પરમહંસ છઈએ.’પછી તે ભકત શ્રીજીમહારાજને પગે લાગીને બેઠા, પછીતેને પોતાની દષ્ટિમાત્રે કરીને સમાધિ કરાવીને અક્ષરધામને વિષેઅનંત મુકત, અનંત અવતાર ને અનંત ઐશ્વર્ય તેણે સહિતપોતાની મૂર્તિનું દર્શન કરાવતા હવા; ને પોતાની મૂર્તિને વિષેલીન કરાવીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવતા હવા.પછી મૂળજીબ્રહ્મચારીએ પૂછ્યું જે,‘હે મહારાજ ! આ ભકતેશું પુણ્ય કર્યા હશે ? જે અનંત કોટિ બ્રહ્માંડના પતિ એવા જેતમે તે સાક્ષાત્ દયા કરીને તેને ઘેર પધાર્યા, ને મોટા યોગીનેપણ દુર્લભ એવી જે અક્ષરધામની સમાધિ તે તમે દયા કરીનેઆ ભકતને કરાવી ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘આ ભકતતો સો જન્મથી નિષ્કામી વર્તમાન દઢ રાખીને ભગવાનને પામવાનેઅર્થે દાખડો કરતો હતો ત્યારે અમે તેને ઘેર પધાર્યા છઈએ.’પછી તે ભકતને શ્રીજીમહારાજ પોતાની દષ્ટિમાત્રે કરીનેજગાડતા હવા. પછી તે ભકતે કહ્યું જે,‘હે મહારાજ ! તમે તોઅનંત કોટિ બ્રહ્માંડના આધાર જે અક્ષર તેના પતિ છો, ને સર્વઅવતારના અવતારી ને સર્વ કારણના કારણ સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છો; તે દયા કરીને મારે ઘેર પધાર્યા છો; માટે હેમહારાજ ! તમારા સ્વરૂપના નિશ્ચયમાં ખામી રહે નહિ, એવુંકૃપા કરીને કહો.’ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘અમે તોઆ બ્રહ્માંડને વિષે આવ્યા નથી ને આવશું પણ નહિ. માટે આજેતમને નિશ્ચય થયો છે તે ફરવા દેવો નહિ.’ એવી રીતેશ્રીજીમહારાજે દેવજીભકતને પોતાનું દિવ્ય ઐશ્વર્ય દયા કરીનેદેખાડ્યું. ।।૧૩।।