દામોદરે નથુભટ્ટને શ્રીજીમહારાજના નિશ્ચયની વાત કરીજે,‘શ્રીજીમહારાજ સર્વ અવતારના અવતારી છે ને રામાનંદસ્વામી તે પણ ઉદ્ધવનો અવતાર છે.’ તે વાત સાંભળીને તેનથુભટ્ટ અતિશે આકળા થઇ ગયા. પછી તે બે જણ વરતાલેશ્રીજીમહારાજ પાસે આવ્યા. ને કહ્યું જે, ‘હે મહારાજ ! આદામોદર રામાનંદસ્વામીને ઉદ્ધવ કેમ કહે છે ?’ પછી શ્રીજી-મહારાજ બોલ્યા જે, “તમે રામાનંદસ્વામીનું ધ્યાન કરો, એટલેજેમ છે તેમ તમને જણાશે.”પછી તે ભટ્ટ ધ્યાનમાં બેઠા, એટલે તેમને તરત સમાધિથઇ. તે સમાધિને વિષે અનંત મુકત, અનંત અવતાર, અનંતઐશ્વર્ય ને રામાનંદસ્વામી તેમણે સહિત અક્ષરધામને વિષેપોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવીને તે સર્વ અવતાર અનેરામાનંદસ્વામી પોતાની સેવામાં દેખાડ્યા; ને પોતાનો સર્વોપરીનિશ્ચય તે ભટ્ટને કરાવ્યો. પછી તે ભટ્ટને સમાધિમાંથી જગાડ્યાત્યારે તે નથુભટ્ટ ઊઠીને દામોદરને સાષ્ટાંગ દંડવત્ કરીને પછીબોલ્યા જે,‘હે મહારાજ ! મને તો આ દામોદરે તમારા સ્વરૂપનાનિશ્ચયની વાત કરી ન હોત, તો મારા કલ્યાણમાં બહુ જ ફેરરહેત; તે માટે હવેથી કોઇ રીતે તમારા સ્વરૂપના નિશ્ચયમાં કસરરહે નહિ એવી કૃપા કરીને વાત કરો.’પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘અમે તો અક્ષરધામ થકીઅગણિત જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા ને અમારું જેઅક્ષરધામ ને અનંતકોટિ પાર્ષદ ને બીજા ધામના ઇશ્વર તેણેસહિત પધાર્યા છઈએ.’ તેવી રીતે શ્રીજીમહારાજે નથુભટ્ટનેપોતાનું ઐશ્વર્ય દેખાડ્યું. ।।૧૪।।