ગઢડામાં શ્રીજીમહારાજે એક ભકતને કહ્યું જે, ‘તમેઅક્ષરધામમાં જઇ આવો.’ ત્યારે તે ભકત સમાધિ કરીને પ્રથમબદરિકાશ્રમમાં ગયો; ત્યાં આપણા સાધુ, પાળા, બ્રહ્મચારી,હરિભકત તેને દીઠા. ત્યારે તેને પૂછ્યું જે, ‘શ્રીજીમહારાજ કયાંછે ?’ ત્યારે એ સર્વ બોલ્યા જે, ‘આ નરનારાયણ છે તે જ મહારાજછે.’ ત્યારે હરિભકતે કહ્યું જે,‘હું મહારાજને ઓળખું છું. ’ પછીત્યાંથી દશર્ન કરીને શ્વેતદ્વીપમાં ગયો; ત્યાં પણ આપણા સાધુબ્રહ્મચારી હતા. તેને કહ્યું જે, ‘શ્રીજીમહારાજ કયાં છે ?’ ત્યારેતે બોલ્યા જે, ‘આ વાસુદેવ છે તે જ મહારાજ છે.’ ત્યારે તેણેકહ્યું જે, ‘હું મહારાજને ઓળખું છું.’ પછી ત્યાંથી વૈકુંઠમાં ગયો;ત્યારે ત્યાં પણ આપણા સાધુ આદિક દીઠા; ત્યારે તેને કહ્યુંજે,‘શ્રીજીમહારાજ કયાં છે ?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘આલક્ષ્મીનારાયણ છે તે જ મહારાજ છે ?’ ત્યારે તેમણે કહ્યું જે,‘હું મહારાજને ઓળખું છું.’ પછી ત્યાંથી તે ભકત ગોલોકમાંગયો; ત્યારે ત્યાં પણ આપણા સાધુ આદિકને દીઠા. ત્યારે તેમનેપૂછ્યું જે,‘મહારાજ કયાં છે ?’ ત્યારે તે બોલ્યા જે, ‘આ શ્રીકૃષ્ણછે તે જ મહારાજ છે.’ ત્યારે તેણે કહ્યું જે, ‘મહારાજને હું ઓળખુંછું. માટે આ શ્રીજીમહારાજ નહિ.’ ત્યારપછી તે ભકતઅક્ષરધામમાં ગયો, ને ત્યાં અનતં કોટિ મુક્ત તેમણે સેવ્યા એવાજે શ્રીજીમહારાજ તમે ને દીઠા, ને ત્યાં આપણા સાધુ, બ્રહ્મચારી,પાળા, સત્સંગી તે સર્વેને શ્રીજી-મહારાજની સેવામાં દીઠા.ત્યારપછી તે ભકતને શ્રીજીમહારાજે પૂછ્યું જે,‘કયા કયાધામ જોતા આવ્યા ?’ ત્યારે તે ભકતે કહ્યું જે, ‘હે મહારાજ !આપણા બ્રહ્મચારી, સાધુ, પાળા અને સત્સંગી તે બદરિકાશ્રમમાં,શ્વેતદ્વીપમાં, વૈકુંઠમાં તથા ગોલોકમાં ઘણા દીઠા તે પણ આંહીંકેમ ન આવ્યા ?’ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે,‘અમને તે તે ધામના પતિજાણ્યા તે માટે ત્યાં જઇને રહ્યા છે. ને આ સર્વેએ અમને સર્વઅવતારના અવતારી જાણ્યા ને સર્વ ધામ થકી પર જે બ્રહ્મમહોલતેના પતિ અમને જાણ્યા તે માટે એમને અમે અક્ષર જેવા કર્યાછે. અને પૂર્વના અવતાર જેવા અમને જાણ્યા તે માટે એમનેતે તે અવતાર જેટલું ઐશ્વર્ય આપ્યું છે. ને તે તે ધામના પતિઅમને જાણીને તે તે ધામમાં રહ્યાં છે. ને તે જો અમે પંડે જઇનેકહીએ તોપણ ન માને એવો એને નિશ્ચય છે.’ પછી તે ભકતનેસમાધિમાંથી શ્રીજીમહારાજ જગાડતા હવા.પછી શ્રીજીમહારાજે તે ભકતને કહ્યું જે,‘તમે સર્વે જેમ દીઠુંતેમ સર્વે આ સંતમંડળની આગળ કહો.’ ત્યારે તે ભકતે જેમદીઠું હતું તેમ સંતમંડળ આગળ કહ્યું. પછી સર્વે પરમહંસે કહ્યુંજે,‘હે મહારાજ ! તમે કૃપા કરીને તમારા સ્વરૂપનો જેમ અમનેસર્વોપરી નિશ્ચય થાય તેવી રીતે કહો.’પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,‘અક્ષરાતીત એવા જે આપ્રગટ પુરુષોત્તમ ભગવાન તે અનંત અક્ષર મુકતે સેવ્યા થકાપોતાના અક્ષરધામને વિષે સદાય વિરાજમાન છે. તેમણે સૃષ્ટિસમે અક્ષર સામું જોયું; ત્યારે તે અક્ષરે અનંતકોટિ મુકત સામુંજોયું; ત્યારે તે મુકતોમાંથી એક પુરુષ ઊભો થયો; પછી તેપુરુષે માયા સામું જોયું; પછી માયામાંથી અનંત પ્રધાનપુરુષાદિક થયા; તે અક્ષરપુરુષ અનેક રૂપે કરીને તેમાં પ્રવેશકરે છે, તે અનેક રૂપે કરીને સર્વેની રક્ષા કરે છે, અનંત પાર્ષદ,શકિતઓ, ઐશ્વર્યે સેવ્યા થકા પોતાના ધામને વિષે જ રહે છે,ને બીજે રૂપે કરીને પુરુષોત્તમની સેવા કરે છે. એ પ્રકારે એનેવિષે અનેક કળા રહી છે. એવા જે મહાપુરુષ તેનો મોટા કવિપણ પાર પામતા નથી.આધુનિક સમજણવાળાની તો એટલે સુધી ગતિ છે, નેએવા અનંત અક્ષરમુકતે સેવ્યા એવા જે પ્રગટ પુરુષોત્તમ તેનીતમારે સાક્ષાત્ પ્રાપ્તિ છે. ને એવા જે પ્રગટ પુરુષોત્તમશ્રીસ્વામિનારાયણ તે બીજા ધામમાં રહી જે મૂર્તિઓ તથા સર્વેઅવતાર તેના કારણ છે, ને અનંત મુકતના સ્વામી છે, નેઅપરિમિત , સર્વોપરી, નિરંકુશ, ઐશ્વર્યાદિકે કરીને સંપૂર્ણ છે.એવા જે પ્રગટ પુરુષોત્તમ તેમની જેમ તમને ઉપાસના છે તેમજેને ઉપાસના થાય તે જ પુરુષોત્તમને પામે છે; પણ બીજા તોકોટિ સાધન કરે તોપણ ન પામે.અક્ષરાદિક સર્વ થકી પર ને અદ્વૈતમૂર્તિ એવા જે પ્રગટપુરુષોત્તમ તેને વિષે ને બીજા વિભૂતિ અવતારને વિષે કેમ ભેદછે ? તો જેમ તીર ને તીરનો નાખનારો તથા ચક્રવર્તી રાજા નેખંડિયારાજામાં ભેદ છે, ને જેમ સૂર્ય ને સૂર્યના મંડળમાં ભેદછે, ને જમે ચદ્રં માં ને તારામાં ભેદ છે, તમે આ પ્રગટ પુરુષોત્તમમાંને બીજા રામકૃષ્ણાદિક અવતારમાં ભેદ છે, એવી રીતે આ પ્રગટપુરુષોત્તમને સર્વોપરી જાણવા, એ સર્વે સત્પુરુષ ને સર્વ શાસ્ત્રનોપરમ રહસ્ય અભિપ્રાય છે. એવા જે પ્રગટ હરિકૃષ્ણ પુરુષોત્તમતેની દઢ ઉપાસના કરવી એ અવશ્ય કરવાનું છે.ને અનંત એવું જે અક્ષરધામ ને અનંતકોટિ અક્ષરમુકતને અક્ષરધામની અનંત દિવ્ય સમૃદ્ધિ ને અનંત વિભૂતિઓ નેઅનંત માયા સબલિત બ્રહ્મ એ સર્વે પુરુષોત્તમનું શરીર છે.તેના મહિમાનો પાર ન આવે, તો એ સર્વેના શરીરી ને કારણ,એ સર્વને વિષે અન્વય થકા વ્યતિરેક ને સર્વથી નિર્લેપ,નિર્વિકારી એવા જે આ પરબ્રહ્મ હરિકૃષ્ણ પ્રગટ પુરુષોત્તમ તેનામહિમાનો તો પાર આવે જ કેમ ? એ તો અનંત અપાર છે,ને જેવા આ પ્રગટ મૂર્તિ અમે બેઠા છઈએ તેવા ને તેવા જઅક્ષરધામને વિષે પણ રહ્યા છઈએ અને તમે પણ સર્વે ત્યાંબેઠા છો એમ હું દેખું છું ને આ સત્સંગમાં જે યોગ સમાધિવાળાછે તે પણ દેખે છે; પણ આ વાત તમારા સમજવામાં પરિપૂર્ણઆવતી નથી ને જયારે એ વાર્તા પરિપૂર્ણ સમજવામાં આવશે,ત્યારે પંચવિષય કે કામ, ક્રોધાદિક જીત્યામાં પ્રયાસ થાશે નહિ,સહેજે જીતાય જાશે. ને બ્રહ્માદિકને પણ દુર્લભ એવી આ સભાછે, ને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ ને બદરિકાશ્રમ તેને વિષે સભાછે તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું, અનેસર્વે હરિભકતને અતિશય પ્રકાશે યુકત દેખું છું, એમાં પણ જોલગારે મિથ્યા કહેતા હોઇએ તો આ સંતસભાના સમ છે. તેસમ શા સારુ ખાવા પડે છે ? જે ‘આ તમારે સર્વેને અલૌકિકને પરિપૂર્ણપણું સમજાતું નથી ને દેખવામાં પણ આવતું નથીતે સારુ સમ ખાવા પડે.’ એવી રીતે પોતાના એકાંતિક મોટાસાધુ બેઠા હતા, ત્યાં શ્રીજીમહારાજે કૃપા કરીને પોતાનાપુરુષોત્તમપણાની વાત કરી. ।।૧૫।।