જેતલપુરના મહોલમાં મુકતાનંદસ્વામી આદિક પરમહંસનેશ્રીજીમહારાજે પૂછ્યું જે,‘અમે જે જે ધામમાં જઇએ છઈએ તેતે ધામમાં તમારાં વખાણ થાય છે ને જે જે શાસ્ત્ર સાંભળીએછઈએ તે તે શાસ્ત્રમાં પણ તમારાં વખાણ થાય છે, તે તમારામાંએવી શી મોટપ છે જે સર્વે ઠેકાણે તમારાં વખાણ કરે છે ?’એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે,‘તૂંબડી ફૂટી જાય, તોતમને સાજી કરતાં આવડે ?’ ત્યારે મુકતાનંદસ્વામીએ કહ્યુંજે,‘ના મહારાજ.’ પછી મહારાજે કહ્યું જે,‘તમે તમારી મોટપનેજાણતા નથી.’એમ કહીને બોલ્યા જે, લ્યો અમે તમારી મોટપને કહીએછઈએ જે,”આ પચાસ કોટિ યોજન પૃથ્વી છે, તેથી દસગણુંજળ છે, તેથી દસગણું તેજ છે, તેથી દસગણો વાયુ છે, તેથીદસગણો આકાશ છે, તેથી દસગણો અહંકાર છે, તેથી દસગણુંમહત્તત્ત્વ છે, તેથી અનંતગણી પ્રકૃતિ ને પુરુષ છે ને તેથીઅનંતગણું અક્ષરધામ છે. તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળોપડતો મૂકીએ, તે વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે,ત્યારે રજ ભેળો રજ થઇ જાય, એટલે છેટે અક્ષરધામ છે; પણજો આંહીં અલ્પ જેવો જીવ હોય ને તમે એમ ધારો જે, ‘આજીવ અષ્ટ આવરણ પાર જે અક્ષરધામ તેમાં જાય’ તો તત્કાળજાય ! એવું તમારા સંકલ્પમાં બળ છે. જેમ જતરડામાં ઘાલીનેપાણો ફગાવી નાખે, તેમ તમે પણ જે જીવને આંહીંથીઅક્ષરધામમાં ફગાવો, તેને ત્યાં જાતાં વચમાં કાળ, માયાદિકકોઇ આડું આવી શકે નહીં, એવું તમારા કાંડામાં બળ છે. પણતમે તમારી મોટપને જાણતા નથી.વળી, તમ જેવા જે સંત તેને કોઇ ભાવે કરીને જમાડેતેને કોટિ યજ્ઞનું પુણ્ય થાય છે ને તેનો મોક્ષ થાય છે. ને તમારાચરણનો કોઇ સ્પર્શ કરે છે તેના કોટિ જન્મનાં પાપ નાશ પામેછે. ને તમને ભાવે કરીને જે વસ્ત્ર ઓઢાડે છે તેનું પરમ કલ્યાણથાય છે. ને તમે જે જે નદી, તળાવ, કૂવા તેને વિષે નહાઓછો તે સર્વે તીર્થરૂપ થાય છે, ને તમે જે વૃક્ષ તળે બેઠા હોને જે જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વેનું રૂડું થાય છે. ને તમારાંકોઇ ભાવે દર્શન કરે છે, કોઇ તમને ભાવે કરીને નમસ્કાર કરેછે તે સર્વેનાં પાપનો ક્ષય થાય છે; ને વળી તમે જેને ભગવાનનીવાત કરો છો ને કોઇને નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાયછે, ઇત્યાદિક જે સર્વ તમારી ક્રિયા છે તે નિર્ગુણ છે, ને જીવનાકલ્યાણને અર્થે છે.ને આવો જે તમારો મહિમા તે શેણે કરીને છે ? તો સર્વથકી પર જે અક્ષરધામ તેના પતિ એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમભગવાન તેની તમો સર્વેને સાક્ષાત્કાર પ્રાપ્તિ થઇ છે, ને તેપુરુષોત્તમનો તમારે દઢ આશરો થયો છે ને તે પુરુષોત્તમ આતમારી સભામાં આવીને બેઠા છે ને તમોને પોતાની મૂર્તિનુંપ્રત્યક્ષ સુખ આપે છે, માટે હવે તમારે કાંઇ કરવું રહ્યું નથી.ને જેવી અક્ષરધામના મુકતને પુરુષોત્તમ ભગવાનના સુખની પ્રાપ્તિછે, તેવી તમારે પણ આ પ્રત્યક્ષ પુરુષોત્તમના સુખની પ્રાપ્તિ થઇછે. તે પુરુષોત્તમના સંબંધે કરીને આવી તમારી મોટપ છે.વળી અનંતકોટિ બ્રહ્માંડમાં અમારું કર્યું થાય છે ને અમારેપ્રતાપે કરીને તમારું પણ અનંતકોટિ બ્રહ્માંડમાં કર્યું થાય છે;પણ તેને તમે જાણતા નથી. તે આવા અસમર્થ રાખ્યા તેનું શુંકારણ છે ? તો આ પ્રત્યક્ષ ભગવાનનું સુખ લેવાને અર્થે તમારુંસામર્થ્ય રૂંધી રાખ્યું છે. ને જેવું તમારું સામર્થ્ય છે તેવું જો હુંદેખાડું, તો તમારે આ લોકમાં કોઇની ગણતી જ આવે નહીં.તેણે કરીને કોઇ જીવનું કલ્યાણ થાય નહિ. માટે નિર્ભય થઇનેપ્રત્યક્ષ પુરુષોત્તમનું સ્મરણ કરજો, પણ આ લોકનાં દુઃખે કરીનેદુઃખ પામશો નહિ.” ।।૧૬।।