ગઢડામાં શ્રીજીમહારાજે આનદં સ્વામી તથા મુક્તાનદં સ્વામીતથા સ્વરૂપાનંદસ્વામીને પૂછ્યું જે,‘અમે તમને જે જે આજ્ઞાકરીએ; જે આ પ્રવૃત્તિની ક્રિયા છે તેને તમે કરો, ત્યારે તે ક્રિયાતમે કેમ કરો ?’ ત્યારે પ્રથમ આનંદસ્વામીએ કહ્યું જે,‘જેમ તમેકહો તેમ કરીએ.’ પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે,‘હું તો ક્રિયાકરવા સારુ હૃદયમાંથી એક વેંત વૃત્તિ બહાર કાઢી હોય તો તેવૃત્તિ હાથ પાછી વાળું ત્યારે સુખ થાય .’ પછી સ્વરૂપાનંદસ્વામીએ કહ્યું જે,‘હું તો જે જે ક્રિયા કરવા જાઉં તે તે ક્રિયાદેખાય નહિ ને એક તમારી મૂર્તિ જ દેખાય.’ પછી મહારાજેસ્વરૂપાનંદસ્વામીને કહ્યું જે,‘પદાર્થ દેખાય નહિ ને એક મૂર્તિજ દેખાય તે વાત સમજયામાં આવતી નથી.’ ત્યારે સ્વરૂપાનંદસ્વામી બોલ્યા જે,‘જેમ તીરની અણીએ લીંબુ ખોસ્યું હોય, તેતીરને જેમની કોર કરીએ તેમની કોર અણીમાં લીંબુ દેખાયછે; તેમ વૃત્તિમાં ભગવાનની મૂર્તિ રહી છે, તે વૃત્તિ જેમનીકોર કરીએ તેમની કોર ભગવાનની મૂર્તિ દેખાય છે.’ ત્યારપછી શ્રીજીમહારાજે કહ્યું જે,‘ત્રણેના અંગ જુદા જુદા છે, માટેઆનંદસ્વામીએ મુકતાનંદસ્વામીનો સમાગમ કરવો. અનેમુકતાનંદસ્વામીએ સ્વરૂપાનંદસ્વામીનો સમાગમ કરવો.’ એમસમાગમ કરે, તો એકબીજાની કસર ટળે, એમ ઉત્તમ, મધ્યમને કનિષ્ઠ મુકતમાં ભેદ છે. ।।૧૭।।