એક સમે ગઢડામાં બ્રહ્માનંદસ્વામી દેશમાંથી ફરીને આવ્યાત્યારે તેને શ્રીજીમહારાજે પૂછ્યું જે,‘દેશમાં સત્સંગ કેવો થયોછે ?’ ત્યારે બ્રહ્માનદં સ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ ! સત્સંગ તોબહુ થયો છે.’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે,‘તમે સત્સંગી કેવાથયા છો ?’ ત્યારે બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે,‘અમે તો તમારાખરેખરા સત્સંગી થયા છીએ.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘તમે તો હજી ગુણબુદ્ધિવાળા સત્સંગી થયા છો; ને જો ખરેખરાસત્સંગી થયા હો તો કહો જે, એમ કયાં હતા ને ત્યાં અમોશું કરતા તે વાત કહો ?’ ત્યારે બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે,‘હેમહારાજ ! એવા સત્સંગી તો અમે નથી થયા.’ ત્યાર પછીશ્રીજીમહારાજ બોલ્યા જે,‘એવા ખરેખરા સત્સંગી તો પર્વતભાઇતથા ગોવરધનભાઇ આદિક હરિભકત છે, તે તો અમારી મૂર્તિનેત્રણે અવસ્થામાં દેખે છે.’પછી મુક્તાનદં સ્વામી બોલ્યા જે,‘હે મહારાજ ! એવાસત્સંગી કેમ થવાય ?’ પછી શ્રીજીમહારાજે કહ્યું જે,‘પુરુષપ્રયત્નેકરીને જો માયિક ભાવને ટાળીને, અક્ષરરૂપ પોતાના આત્માનેમાનીને, મારી મૂર્તિનું ચિંતવન કરો તો એવા સત્સંગી થવાય.’ત્યારે બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે,‘હે મહારાજ ! કૃપા કરો તોએવા સત્સંગી થવાય.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘જુઓને,આ બ્રહ્માંડ છે તે પણ અક્ષરને વિષે અણું જેટલું જણાય છે,માટે તે બ્રહ્માંડ અક્ષરની આગળ ગણતીમાં નથી. એવાઅનંતકોટિ બ્રહ્માંડ તે જેના એક રોમના છિદ્રને વિષે ઊડતાં ફરેછે, એવું મહત્પણું અક્ષરને વિષે છે; ને હું તો એ થકી પરછું; ને એવા જે અમે તે અક્ષરધામમાંથી આંહીં આવ્યા; તે વચ્ચેપ્રકૃતિપુરુષના લોકમાં ન રહ્યા તથા પ્રધાનપુરુષના લોકમાં નરહ્યા તથા અનંત ધામ તથા અનંત બીજા સ્થાનક તેમાં કયાંયન રહ્યા. ને મારી આગળ આ બ્રહ્માંડને વિષે જે જીવ તે શીગણતીમાં છે ? કાંઇ ગણતીમાં નથી. એવા જે અમે તે કૃપાકરીને તમારી ભેગા આવીને રહ્યા છઈએ, ને તમારી આગળવાત કરીએ છઈએ, ને ભાઇબંધાઇ કરીએ છઈએ તથા નિત્યેદર્શન દઇએ છઈએ, તથા જમાડીએ છઈએ, તથા નામ લઇનેબોલાવીએ છઈએ ઇત્યાદિક અનેક પ્રકારે કરીને તમારી સાથેપ્રીતિ કરીએ છઈએ. તથા ઓળખાણ કરીએ છઈએ, ને વળીકાંઇક આડું-અવળું કરતા હશો, તેનું પણ સંબંધીની પેઠે સહનકરતા હશું; તોપણ કહો છો જે, ‘કૃપા કરો’ પણ હવે તે કેટલીકૃપા કરીએ ?’ત્યારે બ્રહ્માનંદસ્વામી બોલ્યા જે, ‘હે મહારાજ ! તમે કૃપાતો બહુ કરી છે પણ અમારે માયાનું આવરણ તેણે કરીને સમજાયનહિ.’ ત્યારે શ્રીજીમહારાજ બેઠા હતા તે ઊભા થઇને પછેડીઓઢી હતી તે હેઠી મૂકીને બોલ્યા જે,‘હવે માયાનું આવરણકાંઇ છે ? કરો દર્શન.’ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે,‘આવીકૃપા તો અમે નહોતા સમજયા.’ એવી રીતે શ્રીજીમહારાજેપોતાના મહિમાની બહુ વાત કરી. ।।૧૮।।